બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી 2020માં સુશાંત સિંહ રાજપૂત કેસ માટે ચર્ચામાં આવી હતી જેના પરિણામે તેણીને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હવે રિયા ચક્રવર્તીએ ખુલાસો કર્યો છે કે આ કેસ પછી તેણી અને તેના પરિવારે શું સહન કર્યું. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે સીબીઆઈ તરફથી ક્લીનચીટ મળ્યા પછી પણ તે નાખુશ હતી.
રિયા ચક્રવર્તીએ કર્યો ખુલાસો
રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત કેસ અને ત્યારબાદના મુશ્કેલ સમય વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે સુશાંતના મૃત્યુ બાદ તેણીને મહિનાઓ સુધી ટીકા અને દુઃખનો સામનો કરવો પડ્યો જેના કારણે તેણીનું જીવન અને પરિવાર કાયમ માટે બદલાઈ ગયો હતો. ક્લીનચીટ મળવા છતાં મને હંમેશા ખબર હતી કે મેં કંઈ ખોટું કર્યું નથી. લોકો કહેતા હતા કે હું તેના મૃત્યુનું કારણ નથી પરંતુ જ્યારે મને ક્લીનચીટ મળી ત્યારે પણ મને ખુશી ન થઈ. હું ફક્ત એ વાતથી ખુશ હતી કે મારા માતા-પિતાને રાહત મળી પરંતુ અમે પહેલા જેવા બેફિકર લોકો નહોતા રહ્યા. તે ક્ષણે અમારા જીવનને હંમેશ માટે બદલી નાખ્યું. હવે તેમાંથી કંઈ પાછું લાવી શકાતું નથી.










