ટીવીના સુપરહિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 18 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે સફળતા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોની આખી કાસ્ટ હાજર રહી હતી. આ દરમિયાન દિલીપ જોશીએ દયાબેન એટલે કે દિશા વાકાણીના શોમાં વાપસી અંગે માહિતી આપી હતી. બીજી તરફ પોપટલાલનું પાત્ર ભજવનારા શ્યામ પાઠક ભાવુક થઈ ગયા.

9 વર્ષ બાદ પરત ફરશે દયાબેન?

દિશા વાકાણીએ પોતાના કરિયરના શિખરે વર્ષ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યો હતો. તે મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારબાદ પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જતા તે ફરી શોમાં પરત ફર્યા નહોતા. આજે 9 વર્ષ બાદ પણ દર્શકો દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે.
https://www.instagram.com/reel/DbXowaLOVxr/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

હવે શોની સફળતા પાર્ટી દરમિયાન જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ દિશા વાકાણીના કમબેક વિશે વાત કરી. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, લગભગ 10 વર્ષ સુધી દિશા જી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા. બધાને ખબર છે કે અમે બંનેએ સાથે મળીને ઘણા યાદગાર સીન આપ્યા છે. અમારી કેમિસ્ટ્રી અને ઘરના સીન આજે પણ ખૂબ યાદ આવે છે.
Taarak Mehta Ka Ooltah Chashmah, Dayaben (1)

દિલીપ જોશીએ આગળ કહ્યું, તાજેતરમાં અસિતભાઈ પણ મને કહી રહ્યા હતા કે તેમને પણ ઘરના સીનની ખૂબ યાદ આવે છે. તેમના મનમાં એવા ઘણા સીન છે, પરંતુ તેઓ તેને સ્ક્રિપ્ટમાં લાવી શકતા નથી. દિશા જીએ જે લેવલનું કામ કર્યું છે, તેની ખોટ મને આજે પણ લાગે છે. હવે આશા રાખું છું કે કોઈ ચમત્કાર થાય અને તેઓ ફરી શોમાં પરત આવે.

પોપટલાલ કેમ ભાવુક થયા?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 18 વર્ષ પૂર્ણ થતાં શ્યામ પાઠક એટલે કે પોપટલાલ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. શ્યામ પાઠકના વખાણ કરતાં અસિત મોદીએ કહ્યું, તેમણે દવા લઈને પણ શૂટિંગ કર્યું છે. તેઓ ખૂબ ઓછું બોલે છે. મારા દિલમાં તેમના માટે ખૂબ માન છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 18 વર્ષથી ટીવી પર સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ અનેક કલાકારોને મોટી ઓળખ અપાવી છે અને શોના દરેક પાત્રને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે.

આ પણ વાંચો-Famous Actress : બે લગ્ન અને વિવાદોથી ભરેલી જિંદગી... રાજેશ ખન્નાની એ હિરોઈન જેણે અચાનક ઈન્ડસ્ટ્રી છોડી દીધી!