શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર હાલમાં દિગ્દર્શકોમાં પ્રિય છે. જહાનવી કપૂર અને કરણ જોહર આજે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કરણ જોહરને ગુરુ માનતી જહાનવી કપૂર ફેમસ ડાયરેક્ટરથી અલગ થઈ રહી હોવાની અટકળો છે. તાજેતરમાં, એક ન્યૂઝ વેબસાઇટે અહેવાલ આપ્યો હતો કે કરણ અને જહાનવી બંને અલગ થઈ ગયા છે. એવી ચર્ચા છે કે જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મોની જવાબદારી જાતે જ લેવાનો નિર્ણય લીધો છે.
કરણ જોહરની ફિલ્મથી જહાનવીની શરૂઆત
શાહરૂખ ખાન અને ફરાહખાનના ખાસ મિત્ર કરણ જોહર ફક્ત જહાનવી જ નહીં બોલીવુડમાં અનેક કલાકારોનો મેન્ટોર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને માર્ગદર્શન આપ્યું છે. શ્રીદેવી અને બોલિવૂડ નિર્માતા બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરે પણ કરણ જોહર સાથે વ્યાપકપણે કામ કર્યું છે. તેમની છેલ્લી કેટલીક ફિલ્મોમાં "સની સંસ્કારી કી તુલસી કુમારી" અને "હોમબાઉન્ડ"નો સમાવેશ થાય છે. હોમબાઉન્ડ ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ હતી. આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી.










