હિના ખાને થોડા મહિના પહેલા અચાનક જ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ હિના ખાને ઉતાવળમાં લગ્ન કેમ કર્યા એ અંગે ચોતરફ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ફેન્સે પણ વિવિધ ચર્ચાઓ કરી કે, તેણે કેન્સરના કરાણે અચાનક લગ્ન કર્યા તો કોઈએ કહ્યું 'પતિ, પત્ની ઔર પંગા' શો માટે લગ્ન કર્યા. ત્યારે હવે આ કપલે કેમ અચાનક લગ્ન કર્યા એનું કારણ સામે આવ્યું છે.

હિના ખાને લગ્ન અંગે આપી પ્રતિક્રિયા

પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે હિના અને રોકીએ 'પતિ, પત્ની ઔર પંગા' શો માટે લગ્ન કર્યા હતા. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિના ખાન ગર્ભવતી છે જેના કારણે આ કપલે ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા . હવે અભિનેત્રીએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. હિનાએ કહ્યું હતું કે તે લોકો શું કહે છે તેનાથી પ્રભાવિત નથી. તેણે શો માટે રોકી સાથે લગ્ન નથી કર્યા. અભિનેત્રીએ કહ્યું કે તે ગયા વર્ષે રોકી સાથે લગ્ન કરવાની હતી પરંતુ કેન્સરને કારણે તે શક્ય બન્યું નહીં.


હિનાએ કહ્યું હતું કે જ્યારે તેને આ શો ઓફર કરવામાં આવ્યો ત્યારે તેણે મેકર્સને કહ્યું હતું કે તે પરણીત નથી અને તમારા શો નું નામ પતિ, પત્ની ઔર પંગા છે. આવી સ્થિતિમાં, મેકર્સ એ કહ્યું હતું કે જો તમે શોમાં સગાઈ કરી લો તો પણ તમે શોમાં જ રહેશો. હિના એ પછી ના પાડી દીધી હતી. ત્યાર બાદ તેને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તરીકે શો માં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. અભિનેત્રી એ કહ્યું હતું કે તેણે અચાનક લગ્નનો નિર્ણય લીધો હતો. તેથી શો સાથે કોઈ સબંધ નથીય જોકે, હિનાએ એમ પણ કહ્યું કે જ્યારે તેણીના લગ્ન થયા ત્યારે નિર્માતાઓ ખૂબ ખુશ હતા.

હિનાએ રોકીને 13 વર્ષ સુધી ડેટ કર્યો

તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા હિના અને રોકીએ 13 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને જૂનમાં લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. હિના ખાન કેન્સરથી ઝઝુમી રહી હતી ત્યારે પણ એક સાથી તરીકે રોકીએ તેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. હિના ખાન પણ તેના પતિ રોકીના ખુલ્લેઆમ ઘણીવાર વખાણ કરતી જોવા મળે છે. આ સાથે જ ફેન્સને પણ હિના ખાન અને રોકીની જોડી ખૂબ જ પસંદ છે.

  • Follow us on: