બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ માટે એક ખાસ તક સામે આવી છે. રિલીઝના 33 દિવસ પૂર્ણ થયા બાદ ફિલ્મની સમગ્ર ટીમ લખનઉ (Lucknow) પહોંચી હતી. અહીં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતા અને તેના આધ્યાત્મિક પાસાઓ સાથે જોડાયેલી અનેક મહત્વની વાતો કરવામાં આવી.
CMના નિવાસસ્થાને થઈ મુલાકાત
ફિલ્મના ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી, પ્રોડ્યુસર અને મુખ્ય કલાકારોની ટીમ CM યોગી આદિત્યનાથને મળવા પહોંચી હતી. મુલાકાત દરમિયાન મેકર્સે ફિલ્મના નિર્માણ અને શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા. મુખ્યમંત્રી કાર્યાલય (CM Office UP) ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. તસવીરોમાં ટીમના સભ્યો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન CM યોગી આદિત્યનાથે પણ ફિલ્મના પ્રયાસોની પ્રશંસા કરી અને ટીમને મોટી સફળતા બદલ અભિનંદન આપ્યા.
