ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના મોતે દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધા છે. નાની ઉંમરે એક્ટ્રેસે પોતાનો જીવ લઈ લીધો. દાવો કરવામાં આવી રહ્યો છે કે સંચિતા ઉગલે ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ સંચિતાના મોત પર પોતાનું દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન એક્ટર કરણવીર બોહરાનું રિએક્શન પણ સામે આવ્યું છે. તેણે એક ઇન્ટરવ્યુમાં સંચિતાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે જ ટીવી ઇન્ડસ્ટ્રીની કડવી હકીકત પણ જણાવી છે. તેનું કહેવું છે કે એક એક્ટરને માત્ર અદાકારીનો જ કીડો ન હોવો જોઈએ, તેણે ઘણી સ્કિલ્સ પર કામ કરવું જોઈએ.


કરણવીરે જણાવી ટીવી ઇન્ડસ્ટ્રીની કડવી હકીકત

કરણવીર બોહરાએ તાજેતરમાં ટેલી ચક્કરને ઇન્ટરવ્યુ આપ્યો છે. આમાં તેણે કહ્યું કે- અમારા પ્રોડક્શનમાં જે એક્ટર આવે છે તેઓ બીજું કંઈ નથી કરતા. હું કહું છું કે કેમ ભાઈ… આપણે આજે જે સમયમાં જીવી રહ્યા છીએ, તેમાં આપણે આપણી સ્કિલ્સ અલગ-અલગ વસ્તુઓમાં ઇન્વોલ્વ કરવી જોઈએ. જ્યારે એક્ટિંગ મળશે ત્યારે મળશે, પરંતુ જ્યારે એક્ટિંગનું કામ નથી તો બાકીના દિવસોમાં તમે શું કરશો? તમે ફ્રી બેસી રહેશો પછી.

કરણવીરે એક્ટર્સને આપી સલાહ

એક્ટરે આગળ કહ્યું કે અમારી સાથે ઘણા એક્ટર એવા છે જે ઘણી બધી સ્કિલ્સ પર કામ કરી રહ્યા છે. કોઈ આર્ટમાં છે, કોઈ કોસ્ટ્યુમમાં છે, કોઈ ડિરેક્શનમાં છે. જ્યારે તેમને કોઈ રોલ મળે છે ત્યારે એક્ટિંગ કરી લે છે. એટલા માટે ખાલી એક્ટિંગનો જ કીડો ન રાખો. જો તમારામાં કોઈ આવડત છે તો તેમાં પણ પોતાનો હાથ અજમાવો.

રાતોરાત એક્ટરને રિપ્લેસ કરવા પર શું બોલ્યા કરણવીર?

ઘણી સીરિયલ્સમાં રાતોરાત એક્ટર્સને રિપ્લેસ કરી દેવામાં આવે છે. આ સવાલ પર કરણવીરે પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે કહ્યું- આ એક ક્રિએટિવ કોલ હોય છે અને બધા લે છે. જો તમે શોના પાત્રમાં ફિટ નથી બેસી રહ્યા અથવા તેમના પ્રોજેક્ટને તે હાઇપ નથી મળી રહી, તે મહત્વ નથી મળી રહ્યું તો તેઓ બીજા એક્ટરને લઈ લે છે. આ કડવી હકીકત છે… પરંતુ આપણે આનો સ્વીકાર કરી લેવો જોઈએ.

આ પણ વાંચો-Casting Couch : 'કપડાં ઉતારો..!' બોલીવુડની આ એક્ટ્રેસીસ પાસે કામના બદલામાં કરવામાં આવી આવી ગંદી ડિમાન્ડ!

  • Follow us on: