બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. 'મહાભારત' માં કર્ણનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા પંકજ ધીરે 68 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જોકે, હજી સુધી તેમના અવસાનનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.


પંકજ ધીર હવે નથી રહ્યા

મળતી માહિતી અનુસાર, પંકજ ધીરને કેન્સર હતું. તેઓએ કેન્સર સામેની જીત્યા પણ ગયા કેટલાક મહિનાઓમાં તેમને કેન્સરનો ફરીથી ઉથલો માર્યો હતો. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. બીમારીને કારણે તેઓએ એક મોટી સર્જરી પણ કરાવી હતી. તેમ છતાં, પંકજ ધીરને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજ ધીરના અવસાનની ખબર ફેલાતાની સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચાહકો પણ ખૂબ દુઃખી છે. પંકજ ધીરને તેમના ચાહકો અને સેલિબ્રિટીઓ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કર્ણના રોલથી વધુ પ્રસિદ્ધિ મળી

પંકજે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતા એક પ્રોજેક્ટ પર કામ કર્યુ,પરંતુ તેમને બીઆર ચોપડાની મહાભારતથી વધુ ફેમ મળ્યુ હતુ. આ શોમાં એક્ટરે કર્ણનો રોલ પ્લે કર્યો હતો. તેમણે જે જી જાન લગાવીને આ રોલને પ્લે કર્યો હતો. તેમની આજે પણ મિસાલ આપવામાં આવી રહી છે. 

નજીકના મિત્રએ કરી પુષ્ટિ

બોલીવુડ તરફથી આવેલા એક દુખદ સમાચારથી પંકજ ધીરના ફેન્સ અને તેમના ફ્રેન્ડ્સ ઘેરા સદમામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુખદ સમાચારની સૂચના મહાભારતમાં તેમની સાથે કામ કરનારા એક્ટર ફિરોઝ ખાને પુષ્ટિ કરી. ફિરોઝ ખાને અર્જુનનો રોલ નિભાવ્યો હતો. પંકજ ધીરની સાથે ફિરોઝ ખાનનો સંબંધ ખૂબ જ ઉંડો હતો. હવે પંકજ ધીરના ચાલ્યા જવાથી તેમના પરિવાર અને મિત્રો પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.


  • Follow us on: