મલયાલમ સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા સલીમ કુમારના નિધનથી શોકની લહેર ફરી વળી છે. વિતેલા દિવસે કોચ્ચિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સલીમ કુમારે 56 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક પોસ્ટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. પોતાના કરિયરમાં 322થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ અને 3 ફિલ્મો ડાયરેક્ટ કરનારા સલીમ એક લાંબી સિનેમાઈ વિરાસત પાછળ છોડી ગયા છે. સાથે જ તેમના પુત્ર પણ એક્ટિંગની દુનિયામાં પોતાની જમીન શોધી રહ્યા છે.


PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

PM મોદીએ પણ સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા એક પોસ્ટ શેર કરી છે. X પર PM મોદીએ લખ્યું, દિગ્ગજ અભિનેતા સલીમ કુમાર જીના નિધનથી મને ઊંડું દુઃખ થયું છે. પોતાના શાનદાર કરિયર દરમિયાન, તેમણે પોતાની બહુમુખી પ્રતિભા અને વિવિધ ભૂમિકાઓમાં યાદગાર પ્રદર્શનથી એક અમીટ છાપ છોડી. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.

ભર્યોભાદર્યો પરિવાર છોડી ગયા સલીમ કુમાર

સલીમ કુમારના પરિવારમાં તેમની પત્ની સુનીતા અને બે બાળકો ચંદુ અને આરોમલ છે. ચંદુ સલીમકુમારે પણ ફિલ્મ જગતમાં એક અભિનેતા તરીકે નામ કમાયું છે. પોતાના પિતાની જેમ ચંદુ સલીમકુમારે પણ ફિલ્મ જગતમાં કામ કર્યું છે અને મલયાલમ સિનેમામાં નામ કમાયું છે. તેઓ કલ્યાણી પ્રિયદર્શન સાથે 'લોકા ચેપ્ટર વન: ચંદ્રા' માં જોવા મળ્યા હતા. આ સિવાય, તેમણે બ્લોકબસ્ટર ફિલ્મ 'મંજુમ્મેલ બોયઝ' માં પણ કામ કર્યું છે.


વેન્ટિલેટર પર હતા સલીમ કુમાર

અભિનેતા સલીમ કુમારનું સ્વાસ્થ્ય બગડ્યા પછી નિધન થઈ ગયું. તેમને શનિવારે કોચ્ચિની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા. પારિવારિક સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે અભિનેતા ન્યુમોનિયાની સારવાર કરાવી રહ્યા હતા. થોડા વર્ષો પહેલા તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. અભિનેતા સલીમ કુમારના અંતિમ સંસ્કાર આજે સાંજે તેમના નિવાસસ્થાન, નોર્થ પરવૂર સ્થિત 'લાફિંગ વિલા' માં પોલીસ સન્માન સાથે કરવામાં આવશે.

સલીમ કુમારની ફિલ્મી સફર

સલીમ કુમારે 1997માં સિદ્દીક-શમીર દ્વારા નિર્દેશિત ફિલ્મ ઇષ્ટમનુ નૂરુ વટ્ટમથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જો કે, ફિલ્મ જગતમાં આવ્યા પહેલા જ તેઓ થિયેટર અને ટીવી કોમેડી કાર્યક્રમો દ્વારા કેરળના મનોરંજન જગતમાં સક્રિય હતા. તેમણે કેરળ અને વિદેશોમાં કલાભવનના સભ્ય તરીકે વ્યાપક પ્રદર્શન કરીને રાજ્યના મિમિક્રી જગતમાં મોટી ઓળખ મેળવી હતી, જેના પછી તેમણે પોતાનું ખુદનું મિમિક્રી ગ્રુપ બનાવ્યું. બાદમાં તેઓ વિવિધ કોમેડી શો દ્વારા મલયાલમ ટીવી પર એક જાણીતો ચહેરો બની ગયા. તેમને અસલી સફળતા 2000માં આવેલી ફિલ્મ સત્યમેવ જયતેથી મળી, જેણે તેમને દર્શકો વચ્ચે લોકપ્રિય બનાવી દીધા. અભિનય સિવાય, કુમારે ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવ્યો છે અને તેમણે દૈવમે કૈથોઝામ કે કુમારકાનમ, કરુથા જૂથન અને કમ્પાર્ટમેન્ટ જેવી કેટલીક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

આ પણ વાંચો-Cinema : એક કરોડ પણ નથી કમાઈ રહી બોબીની ફિલ્મ બંદર, માત્ર 2 દિવસમાં જ નીકળી ગઈ ફિલ્મની હવા!

  • Follow us on: