ઇન્ડિયન આઇડલ સીઝન 3 ના વિજેતા અને પાતાળ લોક 2 ના અભિનેતા પ્રશાંત તમાંગનું અવસાન થયું. તેમણે પોતાના દમદાર અભિનય અને ગાયકીથી લાખો લોકોના દિલ જીતી લીધા. જોકે, તેમના અચાનક અવસાનથી તેમના ફેન્સ આઘાત અને દુઃખ બંનેમાં ડૂબી ગયા. તેમની પત્નીએ તેમના અચાનક અવસાન પાછળનું કારણ જાહેર કર્યું છે.


અભિનેતાના મૃત્યુ પાછળનું કારણ શું?

પ્રશાંતના અચાનક મૃત્યુના સમાચારથી અફવાઓનો માહોલ સર્જાયો, પરંતુ તેમની પત્ની માર્થા એલે (ગીતા થાપા) એ પોતાનું મૌન તોડ્યું અને મીડિયાને કહ્યું, તે એક નેચરલ મૃત્યુ હતું. તેમનું નિંદ્રામાં અવસાન થયું. તે સમયે હું તેમની બાજુમાં જ હતી. અન્ય અહેવાલો અનુસાર, પ્રશાંત તે રાત્રે સારી રીતે સૂઈ ગયા હતા, પરંતુ ઊંઘ દરમિયાન તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવ્યો હશે, જેના કારણે તેનું મૃત્યુ થયું હશે. પ્રશાંત સવારે ઉઠ્યા નહીં. તેની પત્નીએ તેને નેચરલ મૃત્યુ ગણાવ્યું છે.

ફેન્સ દુઃખી થયા

પ્રશાંત તમાંગ દાર્જિલિંગના રહેવાસી હતા. નાની ઉંમરે જ તેમણે તેમના પિતા ગુમાવ્યા હતા, અને પરિવારની જવાબદારી સંભાળ્યા પછી, પ્રશાંત કોલકાતા પોલીસમાં જોડાયા હતા. જોકે, સંગીત પ્રત્યેનો તેમનો જુસ્સો યથાવત રહ્યો, જેના કારણે તેમણે 2007 માં ઇન્ડિયન આઇડલ 3 માટે ઓડિશન આપ્યું અને શો જીત્યો. આ પછી, તેમની કારકિર્દીએ તેજી પકડી.


રાતોરાત સ્ટાર બની ગયા પ્રશાંત 

પ્રશાંત રાતોરાત પ્રખ્યાત થઈ ગયા. તેમણે પોતાના સુરીલા અવાજથી ગોરખા ગીતો ગાઈને ફેન્સના દિલ જીતી લીધા. થોડા સમય પછી, તેમણે નેપાળી ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી વેબ સિરીઝમાં પણ પ્રવેશ કર્યો. તેમણે પાતાલ લોક 2માં સ્નાઈપર ડેનિયલની ભૂમિકા ભજવી, જેની ખૂબ પ્રશંસા થઈ. તેમની છેલ્લી ફિલ્મ સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન હતી.

આ પણ વાંચો- મહાકુંભની મોનાલિસાનો બદલી ગયો અંદાજ, ધ ડાયરી ઓફ મણિપુરની ઈનસાઈડ તસવીરો વાયરલ

  • Follow us on: