નિતેશ તિવારીની " રામાયણ : ધ ઇન્ટ્રોડક્શન" વર્ષ 2026 ની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મે બહુ ચર્ચા જગાવી છે અને લોકો જોવા માટે ઉત્સુક છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફિલ્મનો પહેલો લુક અથવા ટીઝર રામ નવમી પર રિલીઝ થશે. જોકે, કોઈ પુષ્ટિ ન મળતાં ચાહકો થોડા નિરાશ થયા હતા. પરંતુ હવે, રામાયણના નિર્માતા નમિત મલ્હોત્રાએ રામ નવમી પર રામાયણ ફિલ્મને લઈને એક મોટી અપડેટ રજૂ કરી છે. નમિત મલ્હોત્રાએ શુક્રવારે રામ નવમીના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમણે ખુલાસો કર્યો કે રામાયણનો પહેલો લુક 2 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર રિલીઝ થશે.
રામાયણ ફિલ્મનો હનુમાન જયંતિએ એ ફિલ્મનો ફર્સ્ટ લુક
નમિતે રામાયણ ફિલ્મને લઈને લખ્યું, "આ એક એવી વાર્તા છે જે આપણા બધા સાથે જોડાય છે. અને અમે આપણી રામાયણને તેની સાચી ભાવના અને સ્કેલમાં, નિખાલસતાથી પડદા પર લાવવા માટે ઊંડી જવાબદારી, શ્રદ્ધા અને કાળજી સાથે દરેક પગલું ભર્યું છે." અમે 2 એપ્રિલ, હનુમાન જયંતિના રોજ અમારી ફિલ્મ 'રામ'નો આગામી લુક શેર કરવા માટે ઉત્સાહિત છીએ. અમે એક ભવ્ય લોન્ચ સાથે વિશ્વભરના ચાહકો સમક્ષ અમારી વર્ષોની મહેનતનું પરિણામ રજૂ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારા પ્રેમ, વિશ્વાસ અને ધીરજ બદલ આભાર.













