દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર ફિલ્મોનો ધમાકો અને ક્લેશ ન થાય એવું બની જ ન શકે. દિવાળીની રજાનો ફાયદો ઉઠાવવામાં મેકર્સ પણ પાછળ રહેતા નથી. આ દિવાળી 2026માં સિનેમાઘરોમાં રામ આવી રહ્યા છે એટલે નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેનો ક્લેશ પણ નક્કી છે. હોલીવુડ ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો સાથે તેની ટક્કર થશે.
રામાયણ અને ગોડઝિલા કયા દિવસે રિલીઝ થશે?
નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ આ વર્ષે 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ રાહ પણ પૂરી થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ રિલીઝ થઈ ગયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનિત આ ફિલ્મ 6 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.
દિવાળીએ થશે બોક્સ ઓફિસ ક્લેશ
આ સાથે જ જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો પણ રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે પણ તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર, 2026 જ નક્કી કરી છે. બંને ફિલ્મો વિશ્વભરમાં એક જ દિવસે રિલીઝ થઈ રહી છે, જેના કારણે એક વાત સ્પષ્ટ છે કે બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ક્લેશ નક્કી છે. બંને ફિલ્મોના મેકર્સની નજર IMAX સ્ક્રીન્સ અને અન્ય પ્રીમિયમ ફોર્મેટ્સ પર છે.
દિવાળીના લોંગ વીકએન્ડનો ફાયદો કોણ ઉઠાવશે?
6 નવેમ્બર, 2026થી દિવાળીના લોંગ વીકએન્ડની શરૂઆત થઈ રહી છે. રામાયણને લઈને અગાઉ ચર્ચા હતી કે તેને 30 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે, પરંતુ દિવાળીના લોંગ વીકએન્ડને ધ્યાનમાં રાખીને મેકર્સે તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર એટલે કે ધનતેરસના દિવસે નક્કી કરી છે. આ લોંગ વીકએન્ડમાં ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા તહેવારો પણ આવશે, જેનો ફાયદો ફિલ્મોને બોક્સ ઓફિસ પર મળી શકે છે. હવે જોવાનું રહેશે કે 2026ની દિવાળી કોની મનાય છે.
ભારતમાં હિટ છે ગોડઝિલા ફ્રેન્ચાઈઝી
બીજી તરફ, જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝી ગોડઝિલાનો પણ ભારતમાં ક્રેઝ ઓછો નથી. આ પહેલાં ભારતમાં આ ફ્રેન્ચાઈઝીની 4 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને તમામ ફિલ્મોએ સારી કમાણી કરી હતી.
- ગોડઝિલા 2014 - 34-35 કરોડ
- ગોડઝિલા: કિંગ ઓફ મોન્સ્ટર્સ 2019 - 25.30 કરોડ
- ગોડઝિલા વર્સિસ કોંગ 2021 - 48.58 કરોડ
- ગોડઝિલા x કોંગ 2024 - 112.54 કરોડ
રામાયણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
ભારતમાં રામાયણનો અલગ જ ક્રેઝ છે. લોકોને રામાયણ જોવું પસંદ છે. રામાનંદ સાગરની રામાયણ આજે પણ લોકોને પસંદ છે. બીજી તરફ, દિવાળી અને દશેરા સાથે જ આવે છે, જેમાં રામાયણને સ્ટેજ શો દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે નિતેશ તિવારી 4000 કરોડના બજેટમાં રામાયણ લઈને આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં તેનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, યશ અને રવિ દુબે સાથે રકુલ પ્રીત સિંહ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો-Bigg Boss 20 : શું હશે ખાસ? 4 મોટા ટ્વિસ્ટ સાથે સલમાન ખાનનો શો મચાવશે જબરદસ્ત ધમાકો