આરજે મહવશ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને લઈને પહેલા ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે ધનશ્રી વર્મા સાથે ચહલના છૂટાછેડા થયા હતા. જોકે, બંનેએ વારંવાર ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું અને કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે, પરંતુ ઘણી વખત સાથે જોવા મળતા અટકળો તેજ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદ ફેન્સે બ્રેકઅપની વાતો શરૂ કરી હતી. મહિનાઓ પછી મહેવશે આખરે આ અફવાઓ પર સ્પષ્ટતા કરી અને અનફોલો કરવાનું અસલી કારણ જણાવ્યું.

ચહલને અનફોલો કરવાનું RJ મહવશે જણાવ્યું કારણ

પિંકવિલા સાથે વાત કરતા RJ મહેવશે કહ્યું, લોકોની આદત હોય છે કે તેઓ નાની વાતનું વતેસર કરી દે છે. જ્યારે તમે પોતે આ સમયમાંથી પસાર થાઓ છો ત્યારે આ કોઈ એટલી મોટી વાત નથી લાગતી. જેમ કે બે મિત્રો વચ્ચે કોઈ દલીલ થઈ અને તેમણે એકબીજાને ફોલો-અનફોલો કરી દીધા અને વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. હકીકતમાં જ્યારે તમે તમારા મિત્રો સાથે નિઃસંકોચ થઈને કોઈ પણ વાત કરી શકો છો, ત્યારે તમારે તેમના પ્રત્યે કોઈ મનદુઃખ રાખવું જોઈએ નહીં. તેથી હું હંમેશા તેમના માટે શુભેચ્છાઓ પાઠવીશ. આમાં કોઈ એટલી મોટી વાત નથી.

મહવશે યુઝવેન્દ્રને ડેટ કરવાની વાતનો ઇનકાર કર્યો

પોતાના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળોનો જવાબ આપતા RJ મહવશે સ્પષ્ટ કર્યું કે તે ક્યારેય ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ડેટ કરી રહી નહોતી, પરંતુ તેમના જીવનના મુશ્કેલ સમયમાં તે માત્ર તેમની એક નજીકની મિત્ર હતી. તેણે જણાવ્યું કે ધનશ્રી સાથેના છૂટાછેડા દરમિયાન ચહલને સાચા સાથની જરૂર હતી અને તે તેમનું ધ્યાન IPL સીઝન તરફ દોરી રહી હતી. મહેવશે વધુમાં કહ્યું કે તે એક આધાર બનીને તેમની સાથે ઉભી રહી અને ભવિષ્યમાં પણ નિડરતાથી તેમનો સાથ આપતી રહેશે.

RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલની ડેટિંગ અફવાઓ

મહવશ અને ચહલની ડેટિંગની અફવાઓ સૌથી પહેલા ત્યારે ફેલાવવાની શરૂ થઈ હતી જ્યારે ક્રિકેટરના લગ્ન કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. IPL 2025 ટુર્નામેન્ટ દરમિયાન મહવશ ને યુઝવેન્દ્ર ચહલની ટીમ પંજાબ કિંગ્સની લગભગ દરેક મેચમાં જોવામાં આવી હતી.

આ પણ વાંચો- 36 વર્ષથી અકબંધ છે સદાબહાર એક્ટ્રેસ રેખાનું આ રહસ્ય! પતિ મુકેશ અગ્રવાલના અવસાન પછી પણ કેમ લગાવે છે સિંદૂર?