બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. જ્યારથી સોનાક્ષીના લગ્ન થયા છે, ત્યારથી તેની પ્રેગ્નન્સીને લઈને સતત અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અફવાઓ દર વખતે ખોટી સાબિત થઈ છે. હવે આ બાબતે સોનાક્ષીની માતા પૂનમ સિંહાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સોનાક્ષીની માતા પૂનમ સિંહાએ શું કહ્યું?
એક કાર્યક્રમ દરમિયાન પૂનમ સિંહાએ આ અફવાઓ પર હસતા હસતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ખબર નહીં અમને કેટલી વાર નાની બનાવી દેવામાં આવ્યા છે, પણ જે હોય તે, આ ખુશી પણ અમને ચોક્કસ મળશે. પૂનમ સિંહાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકોને તેમની આ વાત પસંદ આવી છે.
