તનુશ્રી દત્તાને દિન-પ્રતિદિન વિવાદ સર્જાઈ રહ્યો છે થોડા દિવસો પહેલા અભિનેત્રીએ એક રડતા-રડતા વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના ઘરમાં જ તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે તનુશ્રી એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. હકીકતમાં તનુશ્રીએ હવે એક નોન-વેજ વિશે એવો વીડિયો શેર કર્યો છે કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે અને તેઓ અભિનેત્રીના આ કૃત્ય પર માત્ર ગુસ્સે જ નથી પરંતુ તેને જોરદાર ઠપકો પણ આપી રહ્યા છે.


તનુશ્રી દત્તાએ શેર કર્યો વિચિત્ર વીડિયો

હાલમાં જ પોતાના વીડિયોને કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ ક્લિપમાં તનુશ્રી અલગ-અલગ બેગમાં પેક કરેલા મટનની ચરબીનું વર્ણન કરી રહી છે અને તેને ખાવાના ફાયદાઓ જણાવી રહી છે પરંતુ તેના કેપ્શનમાં તેણે જે લખ્યું છે તે વાંચ્યા બાદ યુઝર્સ ચોંકી ગયા અને તેમણે અભિનેત્રીને ઠપકો આપવાનું શરૂ કર્યું.

તનુશ્રી દત્તાનો વીડિયો જોઈ ફેન્સ ભડક્યા

તનુશ્રી દત્તાએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, 'જો કોઈ તમને એટલું બધું પરેશાન કરે છે કે તે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તો સૌ પ્રથમ તમારા ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરો. કારણ કે આહાર એ દવા છે. મારો આહાર આયુર્વેદ પર આધારિત છે. હું હંમેશા મારી ફિટનેસ જાળવી રાખવાનો પ્રયાસ કરું છું ગમે તે પરિસ્થિતિ હોય.' અભિનેત્રીએ લખ્યું કે, 'આજે મેં શ્રાવણ મહિનામાં સાંજે 7 વાગ્યા સુધી ઉપવાસ કર્યો અને પછી રાત્રિભોજનમાં મટન અને ભાત સાથે દાળ બનાવી.'

હંમેશા મારા ખાવા-પીવાનું ધ્યાન રાખું: તનુશ્રી

તનુશ્રીએ આગળ કહ્યું હતું કે, 'ધાર્મિક ઉપવાસ ખૂબ કડક રાખવાની જરૂર નથી, વ્યક્તિ તેની શારીરિક જરૂરિયાતો અનુસાર રાખી શકે છે. આ પ્રકારનો ઉપવાસ મારા માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું ઉપવાસ કરી શકું છું, માનસિક શક્તિ મેળવી શકું છું અને પછી હું ઉપવાસ તોડવા માટે ઉચ્ચ પ્રોટીન આહાર લઉં છું જેથી મારું શરીર સારું પ્રદર્શન કરી શકે.' અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હું હંમેશા મારા ખાવા-પીવાનું ધ્યાન રાખું છું. તેથી જ મેં વિચાર્યું કે શા માટે આ બધું તમારી સાથે પણ શેર ન કરું.' શ્રાવણમાં ઉપવાસ કર્યા બાદ મટન ખાવા બદલ લોકોએ તનુશ્રીની ટીકા કરવાનું શરૂ કર્યું હતું.


  • Follow us on: