તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફેન્સને ખૂબ જ પ્રિય છે. દરેક પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ શો 18 વર્ષથી ચાલી રહ્યો છે, અને ઘણા કલાકારો શો છોડી ચૂક્યા છે. કેટલાકે તો મેકર્સ પર આરોપો પણ લગાવ્યા છે. હવે, સુનિતાનું પાત્ર ભજવનારી અભિનેત્રીએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી છે. તે શોમાં શાકભાજી વેચતી હતી.

અભિનેત્રીએ કેમ શો છોડી દીધો?

ફેન્સને સુનિતાનું પાત્ર પણ ખૂબ ગમ્યું. જોકે, અભિનેત્રીએ હવે શો છોડી દીધો છે. તેણે બધી મરાઠી અભિનેત્રીઓને તે પાત્ર ન ભજવવા વિનંતી પણ કરી છે. તેણે શોના મેકર્સ પર પણ અનેક આરોપો લગાવ્યા છે.

અભિનેત્રીએ નિર્માતાઓ પર લગાવ્યા આરોપો

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું, જેને તમારી લાગણીઓ અને ભાવનાઓનીથી કઈ ફરક નથી પડતો, તેના માટે ક્યારેય તમારા આત્મસન્માનનું બલિદાન ન આપો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે આભાર. 
https://www.instagram.com/p/DSAVYXVDOjd/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

નોકર કે શાકભાજી વેચનારાઓની ભૂમિકા ભજવવા માટે જન્મ્યા નથી- પ્રાજક્તા

એક પોસ્ટમાં તેણે લખ્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, તેઓ મને સોશિયલ મીડિયા પરથી પોસ્ટ્સ ડિલીટ કરવા ફોર્સ કરતા. તેઓ મારી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ ચેક કરતા કે મેં તે ડિલીટ કરી છે કે નહીં. હું મારી મરાઠી અભિનેત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તારક મહેતામાં સુનિતાનો રોલ ન ભજવે કારણ કે તેમને લાગે છે કે આ પાત્ર જરૂરી નથી. આ મારો અનુભવ છે. અમે નોકર કે શાકભાજી વેચનારાઓની ભૂમિકા ભજવવા માટે જન્મ્યા નથી. પ્રાજક્તાના આરોપો પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઘણા કલાકારોએ શો છોડી ચૂક્યા છે

અત્યાર સુધી શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ઝિલ મહેતા, ગુરતરન સોઢી, મોનિકા ભદોરિયા, કુશ શાહ, પલક સિધવાણી જેવા કલાકારોએ શો છોડી દીધો છે.

આ પણ વાંચો- ફેન્સ હજુ રાહ જોઈ રહ્યા છે! દિશા વાકાણી વર્ષોથી તારક મહેતામાં કેમ નથી પરત ફરી? થયો ચોંકાવનારો ખુલાસો