'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા 17 વર્ષથી દર્શકોનો પ્રિય છે. શોની TRP છેલ્લા ઘણા અઠવાડિયાથી પહેલા નંબર પર પહોંચી ગઈ છે. શોના કલાકારો ઘર-ઘરમાં ફેમસ થયા છે કારણ કે ઘણા લોકોએ શો છોડી દીધો હોવા છતાં ચર્ચામાં રહે છે. આ બીજું કોઈ નહીં પણ સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલી છે. તેણે આસીમ મોદીના શોમાંથી ફી ન મળવાના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.
તારક મહેતાના વિવાદ પર બોલી નિધિ ભાનુશાલી
નિધિ ભાનુશાલીએ હાલનાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. સોનુને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાંથી ફી ન મળવાના વિવાદ અંગે સવાલ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, મેં શો છોડ્યાને લગભગ છ-સાત વર્ષ થઈ ગયા છે અને સાચું કહું તો તે પ્રકરણ હવે ખૂબ દૂર લાગે છે. તેમાંથી બહાર નીકળવું સરળ નહોતું કારણ કે હું આટલા વર્ષોથી આ શોનો ભાગ હતી અને મારી બધી બાજુથી આ શો સાથે ઊંડી લાગણીઓ જોડાયેલી હતી. મને ચિંતા હતી કે વસ્તુઓ જટિલ બની શકે છે જેમ કે ક્યારેક આટલા લાંબા સમયથી ચાલતા શોમાં થાય છે પરંતુ વાસ્તવમાં એવું કંઈ થયું નહીં.
મને ફી અંગે ક્યારેય સમસ્યા નહોતી થઈ
નિધિએ આગળ કહ્યું હતું કે, 'જે કંઈ થયું તે કદાચ યાદ રાખવા યોગ્ય પણ નથી. 'મેં ક્યારેય તે પાસાં પર વધારે ધ્યાન આપ્યું ન હતું અને મને ફી અંગે ક્યારેય આવી કોઈ સમસ્યા નહોતી થઈ. મેં ફક્ત વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને હવે નાની નાની બાબતો પણ યાદ નથી કારણ કે ત્યારથી જીવનમાં ઘણું બદલાઈ ગયું છે. મારી સાથે જે બન્યું છે તે છે શીખવાની ક્ષમતા, સંબંધો અને તે અનુભવની સમૃદ્ધિ અને આ તે છે જેને હું આગળ વધારવા માંગુ છું.'
હું મારી સફરમાં એક પણ વસ્તુ બદલીશ નહીં
નિધિને પૂછવામાં આવ્યું કે TMKOC છોડ્યા પછી તેની કારકિર્દીમાં કંઈ અલગ થયું છે ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'બિલકુલ નહીં, હું મારી સફરમાં એક પણ વસ્તુ બદલીશ નહીં. દરેક દિવસ ભગવાન તરફથી ભેટ જેવો લાગે છે અને મારી પાસે ઘણા સુંદર દિવસો રહ્યા છે. કેટલાક સફળતાઓથી ભરેલા હતા,કેટલાક પડકારોથી ભરેલા હતા પરંતુ બધા અર્થ સાથે આવ્યા હતા.'