તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મયુર વાકાણી 'સુંદર'ની ભૂમિકામાં જોવા મળે છે. મયુર આ શોમાં દિશા વાકાણીના ભાઈની ભૂમિકા ભજવે છે. મયુર વાસ્તવિક જીવનમાં પણ દિશાનો ભાઈ છે. હવે તેણે શોમાં દિશાના પુનરાગમન અને નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે.
મયુર વાકાણીએ પોતાના પાત્ર 'સુંદર'ને લઈ કહી આ વાત
મયૂરે એક ઈન્ટરવ્યુંમાં નિવૃત્તિ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'લોકો સુંદરને એવી રીતે પસંદ કરે છે જાણે તે વાસ્તવિક આત્મા બની ગયો હોય. ગીતામાં લખ્યું છે કે આત્મા શરીર બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે તો પણ પાત્ર એ જ રહેશે. જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન બીજું જે કંઈ કરે હું તેના માટે આભારી છું.' આ સિવાય તેમણે કહ્યું હતું કે, 'જ્યારે મને પહેલી વાર આ ભૂમિકા મળી ત્યારે મને શંકા હતી કે હું તેને સારી રીતે કરી શકીશ કે નહીં. કારણ કે હું બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટો થયો છું. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી હતી.










