'ધ કશ્મીર ફાઈલ્સ' અને 'ધ કેરાલા સ્ટોરી' બાદ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી વધુ એક ફિલ્મને લઈને વિવાદમાં સપડાયા છે. હાલમાં અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ થયું. સોશિયલ મીડિયામાં ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી હતી. પરંતુ હાલમાં જ શાંતનુ મુખર્જી નામના શખ્સે વિવેક રંજન અગ્નિહોત્રી સામે FIR નોંધાવતા ફરી ફિલ્મ થિયેટરમાં રજૂ થાય તે પહેલા જ કોન્ટ્રોવર્સી જોવા મળી.


એક થા કસાઈ ગોપાલ'

અગ્રિનહોત્રીની 'ધ બેંગાલ ફાઇલ્સ' ફિલ્મ 1946માં થયેલા રમખાણ પર આધારિત છે. આ ફિલ્મ મુખ્ય પાત્ર ગોપાલ મુખરજીની આસપાસ છે. અને આ ગોપાલ મુખરજીના પૌત્ર શાંતનુ મુખરજીએ FIR નોંધાવતા દાવો કર્યો છે કે તેમના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં જ્યારે 'ધ બેંગાલ ફાઇલ્સ'ના ટ્રેલર રિલીઝ વખતે 'એક થા કસાઈ ગોપાલ' તેમ દર્શાવાયું હતું.

અગ્નિહોત્રી જાહેરમાં માફી માગે

ગોપાલ મુખરજીને કસાઈના ઉલ્લેખ સાથે રજૂ કરતા તેમના પૌત્ર શાંતનુ મુખરજીએ વાંધો ઉઠાવતા કહ્યું કે તેમના દાદા કસાઈ નહોતા. તેઓ સ્વતંત્રતા આંદોલનમાં 1946માં મુસ્લીમ લીગના રમખાણ રોકવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આર્દશ પર ચાલ્યા છે. તેમને આ રીતે રજૂ કરવા એ પરિવાર અને સમગ્ર સમુદાયનું અપમાન છે. ગોપાલ મુખરજીને ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવા બદલ તેમના પૌત્ર શાંતનુ મુખરજીએ ડાયરેકટર વિવેક રંજન અગ્નિહોત્રીને કાનૂની નોટીસ મોકલી જાહેરમાં માફી માગવા કહ્યું. આ વિવાદને પગલે કહેવાય છે કે કોલકાતામાં ફિલ્મનો ટ્રેલર લોન્ચ કાર્યક્રમ પણ આ કારણોસર રદ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: