દર્શકો ફિલ્મ કંતારા ચેપ્ટર 1ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા મહિને 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. શરૂઆતના આંકડાઓના આધારે, એવો અંદાજ છે કે ફિલ્મને શરૂઆતના દિવસે જ બમ્પર ઓપનિંગ મળી શકે છે.


કાંતારા ચેપ્ટર 1ની કેટલી ટિકિટ વેચાઈ?

ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 કન્નડ ભાષી પ્રદેશોમાં એડવાન્સ બુકિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ડેટા અનુસાર, કાંતારા ચેપ્ટર 1 માટે દેશભરમાં 1,05,101 ટિકિટ વેચાઈ છે. આ ટિકિટ જેની કિંમત આશરે રૂ. 4 કરોડ છે તે આશરે 1,389 શો માટે છે. કન્નડ ભાષી પ્રદેશોમાં ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 માટે સૌથી વધુ ટિકિટ વેચાઈ હતી જે 104,927 હતી. તેલુગુમાં પરિસ્થિતિ ઘણી ધીમી હતી ફક્ત ચાર ટિકિટ રૂ 950 માં વેચાઈ હતી. આ દરમિયાન હિન્દી હાર્ટલેન્ડમાં લગભગ 170 ટિકિટ વેચાઈ હતી જે રૂ. 34,900માં વેચાઈ હતી. 

ઋષભ શેટ્ટીએ કર્યો ખુલાસો

ઋષભ શેટ્ટીએ કાંતારા ચેપ્ટર 1માં મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી જ નહીં પરંતુ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. ફિલ્મ વિશે વાત કરતા અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેણે અમુક દ્રશ્યો શૂટ કરતી વખતે નોનવેજ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તે દરમિયાન તેણે જૂતા પહેર્યા નહોતા. ઋષભે કહ્યું હતું કે, તે સમયે હું નોનવેજ ખાતો નહોતો અને જૂતા પહેરતો નહોતો કારણ કે મને મનની સ્પષ્ટતાની જરૂર હતી.

ફિલ્મ માટે કર્યું આ કામ

અભિનેતાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેણે આખી ફિલ્મ માટે આ કર્યું નથી પરંતુ ફક્ત એક ચોક્કસ દ્રશ્ય માટે. ઋષભે કહ્યું હતું કે, મેં આ નિર્ણય એ ભગવાન માટે લીધો છે જેમાં હું માનું છું. શૂટિંગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સેટ પર સામાન્ય રીતે હજારો લોકો હોય છે પરંતુ આ દ્રશ્યો સરળ નહોતા તેથી હું વધુ સાવચેત હતો. અભિનેતાએ કહ્યું હતું કે, હું કોઈના વિશ્વાસ પર સવાલો ઉઠાવવા માંગતો નથી. હું દરેકના વિશ્વાસનો આદર કરું છું અને બદલામાં સમાન આદરની અપેક્ષા રાખું છું.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' ને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. હવે બધાની નજર તેના એડવાન્સ બુકિંગ પર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વરુણ ધવન અને જ્હાનવી કપૂર અભિનીત 'સની સંસ્કારી કી તુલસી કુમારી' સાથે ટક્કર લેશે. બંને ફિલ્મો 02 ઓક્ટોબરે સામસામે આવશે. 


  • Follow us on: