• પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચા
  • પરિણીતી ચોપરાની મહેંદીની તસવીર વાયરલ
  • મહેંદી સેરેમની 19 સપ્ટેમ્બરે થઈ હતી - સુત્ર

આ સમયે બધાની નજર પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પર ટકેલી છે. આ શાહી યુગલ 24મી સપ્ટેમ્બરે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. પરિણીતી 17 સપ્ટેમ્બરે મહેંદી અને હલ્દી સેરેમની માટે મુંબઈથી દિલ્હી આવી હતી. ત્યારબાદ તે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની મહેંદી સેરેમની 19 સપ્ટેમ્બરે થઈ હતી. આ સમારોહ રાઘવ ચઢ્ઢાના ઘરે યોજાયો હતો.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરને તેમના લગ્ન માટે સજાવવામાં આવ્યા છે. સંબંધીઓ અને મિત્રો પણ આવી પહોંચ્યા છે. પરિણીતીના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે, તો રાઘવ ચઢ્ઢાએ પણ પરિણીતીને આવકારવા માટે પોતાના ઘરને લાઇટિંગ કરી છે. પંડારા રોડ સ્થિત રાઘવ ચઢ્ઢાના ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. લગ્નની તૈયારીઓ અને સજાવટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

કડક સુરક્ષા વચ્ચે મહેંદી સેરેમની યોજાઈ, પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી હતી

કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને રાઘવની મહેંદી સેરેમની 19 સપ્ટેમ્બરે બપોરે 3 વાગે શરૂ થઈ હતી. આ સમારોહ રાઘવ ચઢ્ઢાના ઘરે કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો. એક તસવીર પણ સામે આવી છે, જે પરિણીતી ચોપરા અને રાઘવની મહેંદી સેરેમનીની હોવાનું કહેવાય છે.

https://www.instagram.com/reel/CxX_WGdK7ct/


પરિણીતી અને રાઘવના લગ્નની વિગતો, ક્યારે થશે સમારોહ?

સુત્રો અનુસાર પરિણીતી અને રાઘવ 23 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેટલીક ધાર્મિક વિધિઓ પછી ઉદયપુર જવા રવાના થશે. સૌપ્રથમ અભિનેત્રીની ચૂડા સમારોહ થશે, ત્યારબાદ 24 સપ્ટેમ્બરે બપોરે વરરાજા રાઘવ ચઢ્ઢાના લગ્ન સમારોહ યોજાશે. તે જ દિવસે બપોરે 1-2 કલાકે રાઘવ કન્યા પરિણીતીને લાવવા બોટ દ્વારા લીલા પેલેસ જશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢા લગભગ 3.30 વાગ્યે સાત ફેરા લેશે અને લગ્નનું રિસેપ્શન તે જ દિવસે એટલે કે 24 સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે યોજાશે.

  • Follow us on: