- પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની લગ્નની ચર્ચા
- રાઘવ સાથે પ્રેમને લઇને અભિનેત્રીનો ખુલાસો
- મારા માટે સાચી લાગણીઓ મહત્વની છે - પરણિતી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના સંબંધોને લઈને ખૂબ ચર્ચામાં હતા. આ કપલે 13 મેના રોજ નવી દિલ્હીમાં એકબીજા સાથે સગાઈ કરી હતી. એવા અહેવાલો છે કે આ કપલ આવતા મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. હાલમાં જ લગ્ન પહેલા પરિણીતી ચોપરાએ પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે તે તેના માતા-પિતા પવન ચોપરા અને રીના ચોપરાથી પ્રેરિત છે.
પરિણીતી માત્ર તેના માતા-પિતા વચ્ચેના પ્રેમને જાણે છે
પરિણીતીએ જણાવ્યું કે તે માત્ર તેના માતા-પિતા વચ્ચેના પ્રેમને જાણે છે અને સમજે છે. તેણીએ કહ્યું, "મારા માટે, પ્રેમનો અર્થ છે અતૂટ વફાદારી, કપરા સમયમાં એકબીજાની સાથે ઊભા રહેવું અને સૌથી અગત્યનું, તમારી જાત બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા. મારા માટે સાચી લાગણીઓ મહત્વની છે, હું હંમેશા એવી વ્યક્તિ ઇચ્છું છું જે મારી સાથે વાસ્તવિક હોય".
ફિલ્મના સેટ પર પ્રેમ થયો હતો
જ્યાં સુધી બંનેની લવ સ્ટોરીની વાત છે તો રાઘવ અને પરિણીતીની લવ સ્ટોરીની શરૂઆતની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે આ લવ સ્ટોરી ગયા વર્ષે શરૂ થઈ હતી જ્યારે પરિણીતી એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી અને રાઘવ ત્યાં પહોંચી ગયો હતો. પરિણીતી પંજાબમાં હતી અને 'ચમકિલા'નું શૂટિંગ કરી રહી હતી. મિત્ર હોવાથી રાઘવ પણ પરીને મળવા ત્યાં પહોંચ્યો હતો. સમાચાર મુજબ, આ એકમાત્ર મુલાકાત હતી જ્યારે બંને એકબીજા પર દિલ ગુમાવી બેઠા હતા અને બંનેએ એકબીજાના જીવન સાથી બનવાનો નિર્ણય લીધો હતો.