કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવના સોનાની દાણચોરી કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. રાન્યા રાવ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ મામલે હવે કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરના હૉસ્પિટલમાં EDના દરોડા પડ્યા છે. તપાસ દરમિયાન EDને રાન્યા રાવ અને એચ.એમ.જી પરમેશ્વર સાથે જોડાયેલા કેટલા પુરાવા મળ્યા છે. રાન્યા રાવ અને એચ.એમ.જી પરમેશ્વરની સિદ્ધાર્થ મેડિકલ કોલેજ વચ્ચે નાણાંની લેતી-દેતીના પુરાવા હાથ લાગ્યા છે. ED હવે હૉસ્પિટલના નાણાંકિય રેકોર્ડની તપાસ કરી રહી છે.
રાન્યા રાવને મળ્યા જામીન













