• દિલીપ કુમારને ધ ભારત રત્ન એવોર્ડ મળ્યો
  • સાયરા બાનોએ પહેલીવાર કર્યો ખુલાસો
  • તેઓ કેમ નથી જતા ઈવેન્ટ્સમાં?
સાયરા બાનોએ દિલીપ કુમાર વતી ધ ભારત રત્ન આંબેડકર એવોર્ડ સ્વીકાર્યો. આ ઈવેન્ટ્સમાં સાયરા બાનો ભાવુક થઈ ગયા હતા. અને હ્રદય ખોલીને રોઈ પડ્યા હતા તેમણે કહ્યું કે મને દિલીપ સાહેબની ખુબ જ યાદ આવે છે એક સેકન્ડ માટે પણ હું તેમને ભૂલી શકતી નથી. તેથી જ હું ઇવેન્ટમાં જવાનું ટાળું છું.મને લાગે છે કે દિલીપજી હંમેશા મારી આસપાસ જ છે. જો કે મહાન અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. પણ તેમના ચાહકોમાં તે હજુ પણ જીવે છે. સાયરા બાનો તેમની યાદમાં જીવન વિતાવી રહ્યા છે. સાયરા બાનો દિલીપ કુમારનાં નિધન પછી પબ્લિક પ્લેટફોર્મ અને ઈવેન્ટ્સમાં જવાનું બંધ કરી દીધું છે. હાલમાં તેમણે ઘણા વર્ષો પછી એક ઇવેન્ટમાં આવ્યા હતા, ત્યાં તેઓ દિલીપ કુમારને યાદ કરીને રડવા લાગ્યા હતા.

https://www.instagram.com/tv/Ceyq8aWKbbL/?utm_source=ig_web_copy_link

સાયરા બાનો ભાવુક થયા
સાયરા બાનોએ દિલીપ કુમાર વતી ધ ભારત રત્ન અંબેડકર એવોર્ડ સ્વીકાર્યો. આ ઇવેન્ટમાં તે એક સમય આવતા ઘણા ભાવુક થઇ ગયા હતા અને તેમનાથી આંસુ રોકાતા ન હતા. સાયરા બાનોને મંત્રી રામદાસ અઠાવલેએ એવોર્ડ અને બુકે આપી સમ્માન કર્યું. આ ઇવેન્ટમાં અંત સુધી તે સતત પોતાના આંસુ લૂછતાં જોવા મળ્યા.

ચાહકોનો સપોર્ટ મળ્યો
સાયરા બાનોનો આ ભાવ દર્શાવે છે કે દિલીપ કુમાર તેમના જીવનમાં કેટલું મહત્વ ધરાવતા હતા. દિલીપ કુમાર વગર તેમનું જીવવું તેમના માટે કેટલું અઘરું છે તે જોવા મળ્યું હતું. સાયરા બાનોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો ખુલ્લાદિલથી તેમની હિમ્મત વધારતા જોવા મળ્યા હતા.

દિલીપ કુમાર કોહિનૂર હતા
તેમણે ભાવુક થયા બાદ જણાવ્યું કે આ કારણથી તે ઈવેન્ટ્સમાં જવાનું ટાળે છે. ત્યાં જવાથી તે વધારે ભાવુક થઇ જાય છે. પ્રેસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દિલીપ કુમાર ભારતનાં કોહિનૂર હતા. કોહિનૂરને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈતો હતો. હું એવું ક્યારે પણ નહિ વિચારું કે તે મારી જોડે નથી. તે મારી સાથે છે. તે મારી સાથે જ રહેશે

  • Follow us on: