દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ભલે સાડા ચાર વર્ષ થઈ ગયા હોય, પરંતુ લોકો આજે પણ તેમનું વ્યક્તિત્વ અને તેમની એક્ટિંગને યાદ કરે છે. સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગ કરી રહ્યા છે સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આજે પણ તેની યાદોમાં ખોવાયેલા છે. આજે પણ તેમના માટે ન્યાયની માગ કરવામાં આવી રહી છે. હકીકતમાં, ઘણા લોકો માને છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.
પ્રતિક બબ્બરનો સુશાંત વિશે ચોંકાવનારો ખુલાસો
હાલમાં સુશાંત સિંહ રાજપૂતના કો-એક્ટર પ્રતિક બબ્બરે તેના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રતિક બબ્બરે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'છિછોરે'માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. સુશાંતની આ છેલ્લી ફિલ્મ હતી.
પ્રતિકે સુશાંતની છેલ્લી ઈચ્છા જણાવી
પ્રતિક બબ્બરે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે 'છિછોરે'ના શૂટિંગ પછી એકલા એન્ટાર્કટિકા જવાની વાત કરી હતી. પ્રતીકે કહ્યું- હું સુશાંતની બહુ નજીક નહોતો પરંતુ જ્યારે અમે બંને બાસ્કેટબોલ સીન શૂટ કરી રહ્યા હતા ત્યારે અમે એકબીજા સાથે વાત કરી હતી.
સુશાંતે કહ્યું હતું- શૂટિંગ પછી એન્ટાર્કટિકા જશે
પ્રતિક બબ્બરે કહ્યું- સુશાંત સિંહ રાજપૂત થોડો અલગ હતો. તેણે કહ્યું હતું - યાર, હું શૂટિંગ પછી એન્ટાર્કટિકા જવાનું વિચારી રહ્યો છો. વર્ષ 2019માં સુશાંતે સોશિયલ મીડિયા પર તેના 50 સપનાઓની યાદી શેર કરી હતી. આમાં, તેણે પ્લેન ઉડાવવા, ડાબા હાથે ક્રિકેટ મેચ રમવા અને બાળકોને અવકાશ વિશે શીખવવાના તેના સપના વિશે જણાવ્યું. પરંતુ ત્યાં સુધી સુશાંત 50માંથી માત્ર 13 સપના પૂરા કરી શક્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતનું વર્ષ 2020માં અવસાન થયું હતું
14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની સાથે શું થયું તે કોઈ સમજી શક્યું નહીં. કોઈએ સુશાંતના મૃત્યુને આત્મહત્યા ગણાવી તો કોઈએ તેને હત્યા ગણાવી. મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. અભિનેતાના પ્રશંસકો અને પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.