• સુશાંતના નિધનને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં લોકોના દિલમાં જીવંત
  • સુશાંતની બહેને તેના ભાઈને ન્યાય અપાવવા માટે અભિયાન શરૂ કર્યું
  • શ્વેતા સિંહ કીર્તિએ ‘જસ્ટિસ 4 SSR જન આંદોલન’ની કરી જાહેરાત

વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતના નિધનને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તે લોકોના દિલમાં જીવંત છે. સુશાંતને આજે પણ બધા યાદ કરે છે. જો કે તેનું મૃત્યુ એક રહસ્ય છે અને લોકો જાણવા માંગે છે કે સુશાંતનું શું થયું? પરંતુ હજુ સુધી સત્ય બહાર આવ્યું નથી. આ દરમિયાન હવે સુશાંતની બહેને તેના ભાઈને ન્યાય અપાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.

શ્વેતા સિંહે અભિયાનની કરી શરૂઆત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. હા, શ્વેતા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે ‘જસ્ટિસ 4 SSR જન આંદોલન’ની જાહેરાત કરી છે. શ્વેતા સિંહે સુશાંતનું કપાળ અથવા કાંડા પર લાલ કપડું બાંધીને અને ઈન્ટરનેટ પર વીડિયો પોસ્ટ કરીને ન્યાયની વિનંતી કરી છે. તેમણે સીબીઆઈને તપાસ ઝડપી બનાવવા વિનંતી પણ કરી છે.

2020માં સુશાંત સિંહનું થયું હતું અવસાન 

આજે પણ સુશાંત સિંહ રાજપૂતની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેમનું આકસ્મિક મૃત્યુ ઘણા લોકો માટે આઘાતજનક હતું. તમને જણાવી દઈએ કે 14 જૂન 2024ના રોજ સુશાંત સિંહ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ પર કોઈ વિશ્વાસ કરી શક્યું ન હતું પરંતુ તેના મૃત્યુના ઘણા વર્ષો પછી પણ હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે તેનું શું થયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગી હતી ન્યાયની મદદ 

આ પહેલીવાર નથી જ્યારે સુશાંતની બહેને તેના ભાઈના મૃત્યુની તપાસ ઝડપી બનાવવા કહ્યું હોય. ઘણીવાર તેની બહેન આ વિનંતી કરતી રહે છે. એટલું જ નહીં, આ વર્ષે માર્ચ મહિનામાં શ્વેતાએ એક વીડિયો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ કેસની તપાસની માંગણી કરી હતી.


  • Follow us on: