- સુરક્ષા એજન્સીઓએ સચિન વિશ્નોઈ થાપનની અટકાયત કરી
- સિધુ મુસેવાલાની હત્યા પહેલા સચિન વિદેશ ભાગી ગયો હતો
- સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી અટકાયત કરી છે
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય સૂત્રધાર સચિન વિશ્નોઈ થાપનને અઝરબૈજાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ સચિન વિશ્નોઈને કસ્ટડીમાં લીધા બાદ તેને દેશમાં પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સચિન વિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી લીધી હતી. સચિન વિશ્નોઈનો નકલી પાસપોર્ટ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના એક સરનામે બનાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ નકલી પાસપોર્ટમાં સચિન વિશ્નોઈનું નકલી નામ તિલક રાજ તુટેજા, પિતાનું નામ ભીમ સિંહ, મકાન નંબર 330, બ્લોક F3 સંગમ વિહાર નવી દિલ્હી 110062 લખવામાં આવ્યું છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના લગભગ એક મહિના પહેલા 21 એપ્રિલ પછી સચિન વિશ્નોઈ નકલી પાસપોર્ટ પર દુબઈ ભાગી ગયો હતો. તે દુબઈથી અજબેજાન આવ્યો હતો જ્યાં સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો છે.











