અભિનેત્રી સોનાક્ષી સિંહા આજે પોતાના જન્મદિવસ ઉજવી રહી છે. આ દરમિયાન તેના અંગત જીવનમાં આવેલા ઉતાર ચઢાવ અંગે ચર્ચા કરીશું. સોનાક્ષી સિંહાને બોલીવુડની દબંગ ગર્લ પણ કહેવામાં આવે છે. દબંગ અભિનેત્રી ઘણા વિવાદો સાથે જોડાયેલી છે. અભિનેત્રીને દબંગ અવતારને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો સાથે તેણે મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા ત્યારે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. સોનાક્ષી સિંહાના આ 4 વિવાદો ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.


અભિનેત્રીનો રામાયણ પર વિવાદ

સોનાક્ષી સિંહાનો વિવાદો સાથે ઊંડો સંબંધ રહ્યો છે. અભિનેત્રીને તેની કારકિર્દીની શરૂઆતમાં તેના વજનને લઈને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ જ્યારે તે કૌન બનેગા કરોડપતિ 11 પર પહોંચી ત્યારે તેણે આવું નિવેદન આપ્યું હતું. જેના કારણે યુઝર્સે તેની ઘણી ટીકા કરી હતી. હકીકતમાં અમિતાભ બચ્ચને સોનાક્ષીને રામાયણ સંબંધિત એક સરળ સાવલ પૂછ્યો હતો.

બિગ બીએ પૂછ્યું હતું કે, રામાયણ અનુસાર, હનુમાન કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા? તેણીને આનો જવાબ ખબર નહોતી. નેટીઝન્સે આ માટે અભિનેત્રીને ઘણી ઠપકો આપ્યો હતો. કારણ કે તેના પિતા શત્રુઘ્ન શ્રી રામના મહાન ભક્ત છે. તેમના બંગલાનું નામ રામાયણ છે અને તેના પુત્રોના નામ લવ-કુશ છે. આ રામાયણથી પ્રેરિત છે.

સોનાક્ષીનો મુકેશ ખન્ના સાથેનો વિવાદ

ત્યાર બાદ અભિનેત્રી વિવાદમાં આવી જ્યારે અભિનેતા મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહા પર કટાક્ષ કર્યો હતો. તેના પર અભિનેત્રીના પિતાએ મુકેશ ખન્નાને યોગ્ય જવાબ આપ્યો હતો. ત્યાર બાદ અભિનેતાએ કહ્યું હતું કે, 'હું શત્રુજીનો ખૂબ આદર કરું છું. મેં ફક્ત સોનાક્ષીનું નામ ઉદાહરણ તરીકે લીધું હતું'.

સોનાક્ષી સિંહાનો ભંગી વિવાદ

સોનાક્ષી સિંહા પણ વર્ષ 2019માં વિવાદોનો ભાગ હતી. અભિનેત્રીએ કથિત રીતે એક રેડિયો શોમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, 'ક્યારેક મને તૈયાર થવાનો સમય મળતો નથી પરંતુ એવું નથી કે હું જાણી જોઈને ઘરે જઈશ અને 'ભંગી' બનીશ.' આ કારણે વાલ્મીકિ સમુદાયે તેના પ્રત્યે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ વધતો જોઈને અભિનેત્રીએ માફી પણ માંગી હતી.

અભિનેત્રીએ મુસ્લિમ અભિનેતા સાથે કર્યા લગ્ન

સોનાક્ષી સિંહાએ લગભગ 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ અંગે દેશમાં ઘણો હોબાળો થયો હતો. લોકોએ સોનાક્ષીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી હતી. આ સાથે લોકોએ તેને બિહારમાં પ્રવેશવાથી રોકવાનું પણ કહ્યું. આવી સ્થિતિમાં, અભિનેત્રીના પિતા શત્રુઘ્ન તેના સમર્થનમાં આવ્યા હતા.


  • Follow us on: