એકતા કપૂરના શો 'કસૌટી ઝિંદગી કી 2'ની એક્ટ્રેસ સોન્યા અયોધ્યાએ આખરે તેના પતિ હર્ષ સિમોરથી અલગ થઈ ગયા છે. ગયા વર્ષથી એવી ચર્ચા હતી કે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.


સોન્યા અને હર્ષ આખરે એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ એક્ટ્રેસ સોન્યા અયોધ્યા દ્વારા છૂટાછેડાના સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

એપ્રિલમાં પૂર્ણ થઈ હતી છૂટાછેડાની પ્રોસેસ

મીડિયા રિપોર્ટ મુજબ એક્ટ્રેસ સોન્યા અયોધ્યા અને હર્ષ સિમોરના છૂટાછેડાની પ્રોસેસ ગયા મહિને એપ્રિલ, 2025 માં પૂર્ણ થઈ હતી. હવે તેમના અલગ થવાના સમાચાર આવ્યા છે, જેનાથી ફેન્સ હેરાન થઈ ગયા છે. પરંતુ સોન્યા અયોધ્યાએ છૂટાછેડાના સમાચાર પર મૌન જાળવી રાખ્યું છે.


5 વર્ષ પછી એકબીજાથી થયા અલગ

તમને જણાવી દઈએ કે સોન્યા અયોધ્યા અને હર્ષ સિમોરના લગ્ન 12 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા. બંનેએ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સિવાય પોતાની પહેલી લગ્ન એનવર્સરી પર એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર પોસ્ટ પણ શેર કરી. લગભગ 5 વર્ષના લગ્નજીવન પછી, બંને અલગ થઈ ગયા છે.

છૂટાછેડા પાછળનું શું છે કારણ?

એક્ટ્રેસ સોન્યા અયોધ્યા અને હર્ષ સિમોરના છૂટાછેડા પાછળના કારણ વિશે એક્ટ્રેસે ક્યારેય કંઈ કહ્યું નહીં, પરંતુ ગયા વર્ષે તેમની એક પોસ્ટ બહાર આવી હતી, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંનેનું લગ્નજીવન સારું ચાલી રહ્યું નથી. આ સિવાય એક્ટ્રેસે તેના પતિ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા. બંનેએ એકબીજાને અનફોલો પણ કરી દીધા.


  • Follow us on: