- તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા
- સની લિયોન અને પતિ ડેનિયલ વેબર તુર્કી-સીરિયાને કરશે મદદ
- કોસ્મેટિક બ્રાન્ડની ફેબ્રુઆરીની કમાણીનો 10 ટકા હિસ્સો દાન કરશે
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા અને લાખો લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા હતા. બંને દેશોમાં તબાહીનું એવું દ્રશ્ય જોવા મળ્યું હતું કે, લોકોના હોશ ઉડી ગયા હતા. ભૂકંપમાં પત્તાના ઘરની જેમ બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપ બાદ દુનિયાભરમાંથી લોકો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે પણ મદદ કરવાની વાત કરી છે.
સની લિયોને નક્કી કર્યું છે કે, તે તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોની મદદ માટે તેની કોસ્મેટિક બ્રાન્ડની ફેબ્રુઆરીની કમાણીનો 10 ટકા હિસ્સો દાન કરશે. તેણે કહ્યું હતું કે, એ મહત્વનું છે કે લોકો જરૂરિયાતમંદોને મદદ કરે અને બચી ગયેલા લોકોને ફરીથી જીવન શરૂ કરવામાં મદદ કરવા માટે પોતાનું યોગદાન આપે.
