શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે રાતોરાત સંબંધ તોડીને ફેન્સને હેરાન કરી દીધા. શો છોડ્યા બાદ તેને આ સિટકોમના મેકર અસિત મોદી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. શૈલેષ લોઢા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'તારક મહેતા'નું પાત્ર ભજવતા હતા અને તેમના રોલને કારણે તેઓ દરેક ઘરમાં ફેમસ થઈ ગયા હતા.


જ્યારથી એક્ટરે શો છોડ્યો ત્યારથી, દર્શકો ટીવી સ્ક્રીન પર તેના પરત ફરવાની આતુરતાથી રાહ જોવા લાગ્યા, જે રાહ હવે પૂર્ણ થઈ ગઈ છે. શૈલેષ લોઢા હવે ટેલિવિઝન પર બીજી ઈનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. એક્ટરને નવા શો એડવોકેટ અંજલિ અવસ્થીમાં વકીલના રોલ માટે જોડવામાં આવ્યો છે.

શૈલેષ લોઢાની ટીવી પર વાપસી

શોમાં, શૈલેષ લોઢા રમેશ પટેલનું પાત્ર ભજવતા જોવા મળશે, જે એક વકીલ છે જે અંજલીને તેના નવા કેસમાં મદદ કરવા આવે છે. શૈલેષ લોઢાએ નવા શોમાંથી તેના પાત્રની ઝલક પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, "જય દ્વારકાધીશ" આ અઠવાડિયાની શરૂઆતમાં, તેને શોનો એક નાનો પ્રોમો પણ શેર કર્યો હતો, જેમાં તે અંજલિને કેસ લડતી અને પ્રેરિત કરતી જોઈ શકાય છે.

https://www.instagram.com/p/DA22O-XyI0t/?utm_source=ig_embed&ig_rid=9239fe12-4b44-4303-b45c-9b9d216e7646 

શોમાં અંજલિ અવસ્થીની ભૂમિકા શું છે?

પ્રોમોમાં, તે અંજલિને આશ્વાસન આપતો પણ જોવા મળે છે કે તે તેની એવી જ રીતે મદદ કરશે જેવી રીતે ભગવાન કૃષ્ણે મહાભારતમાં અર્જુનને મદદ કરી હતી. શૈલેષ લોઢાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તરત જ, નેટીઝન્સે બે વર્ષ પછી ટીવી પર પાછા ફરવા પર તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું છે કે "બિચારા મહેતા સાહેબ, તે જ્યાં જાય છે ત્યાં "અંજલિ" સાથે પીછો છૂટતો નથી, અન્ય યુઝરે લખ્યું છે કે "સર તમને કાલ્પનિક ટીવી સિરીયલમાં જોઈને ખૂબ જ એક્સાઈટેડ છું." મહેતાએ સાહેબ શું કહ્યું ... મેં ફાયર બ્રિગેડમાં સારી નોકરી ગુમાવી છે."

એડવોકેટ અંજલિ અવસ્થી શો વિશે

આ શોમાં શ્રીતામા મિત્રા, અંકિત રાયજાદા, ઈન્દ્રાક્ષી ડે, વિકી સિંહ કશ્યપ અને અમન મિશ્રા લીડ રોલમાં છે. તે સ્ટાર પ્લસ અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થાય છે. એડવોકેટ અંજલિ અવસ્થીએ અત્યાર સુધીમાં 60 એપિસોડ પ્રસારિત કર્યા છે. શૈલેષ લોઢાએ ચુપચાપ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી અને શોના મેકર્સ પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો.

  • Follow us on: