લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઘણા કલાકારો બદલાયા છે પરંતુ સીરિયલને દર્શકો તરફથી સતત પ્રેમ મળી રહ્યો છે. શોમાં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર કવિ કુમાર આઝાદે ભજવ્યું હતું. જોકે, તેમનું અવસાન 2018માં થયું ત્યારબાદ શોમાં તેમના સ્થાને અભિનેતા નિર્મલ સોનીને લેવામાં આવ્યા હતા. તારક મહેતાના ફેન્સ કવિ કુમારને હજી પણ ખૂબ યાદ કરે છે. તો તેમની સાથે તેમના પુત્રનું પાત્ર ભજવનાર ગોલી પણ કવિ કુમાર આઝાદને ખૂબ યાદ કરે છે. શોમાં ગોલીની ભૂમિકા ભજવનાર કુશ શાહે તેમના નિધન પર વાત કરી હતી. 


કુશ શાહે કવિ કુમાર આઝાદના નિધન પર આપી પ્રતિક્રિયા

કુશ શાહે હાલમાં એક ઈન્ટરવ્યુમાં કવિ કુમાર આઝાદના મૃત્યુ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે આઝાદ કાકાનું અવસાન થયું ત્યારે મેં એક પણ આંસુ વહાવ્યો નહીં. હું વારંવાર મારી જાતને પૂછતો રહ્યો કે મેં મારી નજીકના ઘણા લોકોને ગુમાવ્યા છે તો પછી હું ભાવનાત્મક કેમ ન થઈ જાઉં. હું મારી જાતને આ પૂછતો હતો પણ પછી મને ખ્યાલ આવ્યો કે મારી દુઃખ વ્યક્ત કરવાની રીત અલગ છે. 

કુશ શાહે કહ્યું હતું કે, હું રડતો નથી પણ હું સતત તેમના વિશે વિચારતો રહું છું. જેમ કે જ્યારે પણ હું કોઈ સીન કરતો હતો ત્યારે મને વિચાર આવતો હતો કે જો આઝાદ કાકા અહીં હોત તો તેઓ શું કરત?

હું તેમને ખૂબ પ્રેમ કરું છું: કુશ શાહ

કુશ શાહે વધુમાં કહ્યું હતું કે આઝાદ કાકા એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમણે ક્યારેય વિચાર્યું નહીં કે લોકો શું કહેશે. તે એક અદ્ભુત કવિ હતા. તેમણે અદ્ભુત કવિતાઓ લખી છે અને જે શૈલીમાં તેમણે અમને સંભળાવી તે ખરેખર અદ્ભુત હતી. તેમના વિશે વાત કરતાં કુશે કહ્યું કે તેમણે મુંબઈના મલાડમાં કુસુમ રોલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો જે હવે તેમના પરિવાર દ્વારા સંચાલિત થાય છે. તે ખરેખર અદ્ભુત વ્યક્તિ હતા અને હું તેમને ખૂબ પ્રેમ કરું છું.


  • Follow us on: