- દિશા વાકાણીએ 2015માં લગ્ન કર્યા હતા
- શૈલેષ લોઢાએ દિશા વાકાણીને રસપ્રદ સલાહ આપી હતી
- 'અપની છોટી શી જીંદગી મે ખુશ રહીએ વહાં ભી હે! મા માતાજી,ન કરે'
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતની શ્રેષ્ઠ કોમેડી સિરિયલોમાંની એક છે. ઘણા વર્ષોથી લોકો તેને પસંદ કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે જેઠાલાલની પત્ની દયાબેન ગુમ છે. લોકો હજીપણ શોમાં દયાબેન પાછા ફરશે તે માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા લોકો માટે અમે દયા એટલે કે દિશા વાકાણી સાથે જોડાયેલી એક કિસ્સો શેર કરીએ છીએ. જે સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.
દિશા વાકાણીએ 2015માં લગ્ન કર્યા હતા
સૌની વહાલી દયાબેન એટલે કે દિશા વાકાણીએ 2015માં મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં TMKOC નેહા મહેતા, મુનમુન દત્તા, દિલીપ જોશી, અસિત કુમાર મોદી, મંદાર ચાંદવાડકર, રાજ અનાડકટ અને ભવ્ય ગાંધી વગેરે કલાકારોએ હાજરી આપી હતી.
ત્યારબાદ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ દિશા વાકાણીને રસપ્રદ સલાહ આપી હતી. તે એવી વસ્તુ છે જેના પર આજે પણ મીમ્સ બનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, 'દિશા એક અદ્ભુત વ્યક્તિ છે, હું જાણું છું કારણ કે મેં તેની સાથે કામ કર્યું છે. આજે ખૂબ જ ખુશ છે કારણ કે તે લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી આખરે તે દિવસ આવી ગયો.
તારક મહેતાએ આ સલાહ આપી
તેમણે દિશા વાકાણીને સુખી લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ તેણે રમૂજી રીતે કહ્યું હતું કે, 'અપની છોટી શી જીંદગી મે ખુશ રહીએ, પ્રસન્ન રહીએ વહાં ભી 'હે! મા માતાજી, ન કરે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ફેન્સ જાણતા હશે કે આ દયાબેનનો ફેમસ ડાયલોગ હતો.
દિશા વાકાણીએ 2017માં શો છોડ્યો
આ ડાયલોગ પર ઘણા મીમ્સ બન્યા હતા અને આજે પણ બની રહ્યા છે. દિશા વાકાણીની વાત કરીએ તો તેણે 2017માં મેટરનિટી લીવ માટે શો છોડી દીધો હતો. પરંતુ તે પછી તે શોમાં પાછી આવી નથી. તેના પરત આવવાની ઘણી વખત આશા જાગી હતી પરંતુ તે શક્ય બન્યું ન હતું.
તેથી જ આજે પણ લોકો દયાબેન એટલે કે દિશા વાકાણીના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પરત ફરવા પર ફીને લઈને વાતચીત થઈ રહી નથી.