- ઉર્વશીને લોકોએ ઋષભ પંત સાથે લગ્ન કરવાની આપી સલાહ
- ઉર્વશી રૌતેલાએ કહ્યું- મને લગ્ન કરવા માટે સરળ, સંસ્કારી અને નમ્ર છોકરો જોઈએ
- જો તમે ઋષભ પંત સાથે લગ્ન કરશો તો અમને આનંદ થશે: ફેન્સ
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. દરરોજ અભિનેત્રી ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથેના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ હવે પહેલીવાર ઉર્વશી રૌતેલાએ પોતાનું મૌન તોડ્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. આ દરમિયાન જ્યારે તેને ઋષભ પંત સાથે લગ્ન કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અભિનેત્રીએ એવો જવાબ આપ્યો જે સાંભળીને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જશે.
લોકોએ ઋષભ પંત સાથે લગ્ન કરવાની આપી સલાહ
ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર લોકો વારંવાર ઋષભ પંત સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. તેણીની પોસ્ટ પર ટિપ્પણી કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે, ઋષભ પંત, મેડમને ભૂલશો નહીં. તે તમારો ઘણો આદર કરે છે અને તમને હંમેશા ખુશ રાખશે. જો તમે તેની સાથે લગ્ન કરશો તો અમને આનંદ થશે.
ઉર્વશી રૌતેલા લગ્ન અંગે આ પ્રતિક્રિયા આપી
ત્યાર બાદ જ્યારે અભિનેત્રીને લગ્ન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે તેનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મને કોઈ રસ નથી અને હું ટિપ્પણી કરવા માંગતી નથી.' આ પછી અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે લગ્ન માટે કેવો છોકરો ઈચ્છે છે જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, 'સરળ, સંસ્કારી અને નમ્ર.' હાલમાં ઉર્વશી રૌતેલાનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અવારનવાર આવી પોસ્ટ શેર કરે છે જેને જોઈને ફેન્સ અનુમાન કરે છે કે તેણે ઋષભ પંત માટે લખ્યું છે. ગયા વર્ષે જ્યારે ક્રિકેટરનો કાર અકસ્માત થયો હતો ત્યારે અભિનેત્રીએ હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો હતો જેને જોઈને ચાહકોએ કહ્યું હતું કે તે ક્રિકેટરને મળવા ગઈ હતી. જોકે ઋષભ પંતે આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.