• બિગ બી અમિતાભ બચ્ચનના ઘરમાં વિવાદ ચાલુ
  • અનંત-રાધિકાના લગ્નમાં એકલી પહોંચી ઐશ્વર્યા
  • આ બધા વચ્ચે અભિષેકે છૂટાછેડાની પોસ્ટ લાઇક કરી

બિગ બી અમિતાભ બચ્ચનના ઘરમાં વિવાદ ચાલી રહ્યા છે. અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપ્યા બાદ લોકો બચ્ચન પરિવાર વિશે જ વાત કરતા જોવા મળે છે. અનંત-રાધિકાના લગ્ન પછી લોકો વધુ માનવા લાગ્યા છે કે બચ્ચન પરિવારે તેમની વહુ ઐશ્વર્યા રાયથી દૂરી બનાવી લીધી છે.

અંબાણીના લગ્નમાં આરાધ્યા સાથે પહોંચી ઐશ્વર્યા

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં બચ્ચન પરિવારે પાપારાઝી માટે ઉગ્ર પોઝ આપ્યો હતો. જોકે, પરિવારની વહુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન આ ફેમિલી ફોટોમાં નહોતી. ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી.

બચ્ચન પરિવારમાં પડી ફૂટ

ઐશ્વર્યા રાયે તેની પુત્રી આરાધ્યા સાથે ભવ્ય લગ્નમાં હાજરી આપી હતી પરંતુ તે બચ્ચન પરિવાર સાથે લગ્નમાં આવી નહોતી. ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ ન તો બચ્ચન પરિવાર સાથે ફોટોગ્રાફ્સ લીધા અને ન તો કોઈ વીડિયો બનાવ્યો. ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારના કોઈ સભ્યને પણ મળી ન હતી.

અભિષેક બચ્ચને સૌને ચોંકાવ્યા

આ લગ્ન બાદથી એક પછી એક એવા અનેક પુરાવાઓ સામે આવી રહ્યા છે જે આ સંબંધના અંતની સાક્ષી પુરી રહ્યા છે. આ જોયા પછી એ વાત ચોક્કસ બની રહી છે કે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવારના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. અભિષેક બચ્ચને પણ કંઈક એવું કર્યું જેનાથી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

અભિષેક બચ્ચનને છૂટાછેડાની પોસ્ટ લાઇક કરી

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિષેકે એક પોસ્ટને લાઇક કરી હતી જેને લોકો તેના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે. તે પોસ્ટમાં લખ્યું છે- 'છૂટાછેડા કોઈના માટે ક્યારેય સરળ નથી હોતા.' અભિષેક બચ્ચનના આ પગલા પછી લોકોનું માનવું છે કે ઐશ્વર્યા રાય અને જુનિયર બચ્ચન જલ્દી જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે.

'ઐશ્વર્યા રાયના કારણે થશે છુટાછેડા’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બચ્ચન પરિવારની વહુ બન્યા બાદથી ઐશ્વર્યા રાયે ઘણા એવા કામ કર્યા છે જે તેમને બિલકુલ પસંદ નહોતા. આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાયની સાસુ જયા બચ્ચન, નણંદ શ્વેતા બચ્ચન અને પતિ અભિષેક બચ્ચનને ઘણી વખત કેમેરા સામે અભિનેત્રી વિરૂદ્ધ બોલતા જોવા મળ્યા છે.

આરાધ્યાને લઈને ઓવર પ્રોટેક્ટિવ છે ઐશ્વર્યા રાય

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા માટે ઓવર પ્રોટેક્ટિવ છે અને તેથી જ તે હંમેશા આરાધ્યા સાથે જોવા મળે છે. આરાધ્યા તેના પિતા અને દાદા દાદી કરતાં તેની માતા સાથે વધુ જોવા મળે છે. અભિષેક બચ્ચને ઘણી વખત કહ્યું છે કે આરાધ્યાના તમામ નિર્ણયો તેની માતા ઐશ્વર્યા દ્વારા લેવામાં આવે છે અને તેને પસંદ નથી કે આ મામલે કોઈ કંઈ બોલે.



  • Follow us on: