ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં શહેરોને પૂરની હોનારતથી બચાવવા માટે 'પાણીનો નિકાલ' કરવાને બદલે 'પાણીનો સંચય' કરવું જરુરી છે.
ચોમાસાની બદલાતી પેટર્ન અને શહેરી વિસ્તારો પર અસર

1. ક્લાઈમેટ ચેન્જ અને અર્બન ફ્લડ મેનેજમેન્ટ
અતિભારે વરસાદની ઘટનાઓ: ક્લાઈમેટ ચેન્જને કારણે ચોમાસાના દિવસો ઘટી રહ્યા છે, પરંતુ ટૂંકા ગાળામાં ખૂબ જ વધારે વરસાદ પડવાની ઘટનાઓ વધી છે.
શહેરી ગરમીનો પ્રભાવ: શહેરોમાં કોંક્રિટના બાંધકામ, ડામરના રસ્તા અને વાહનોના ઉત્સર્જનને કારણે તાપમાન ઊંચું રહે છે, જે સ્થાનિક સ્તરે વાદળોના બંધારણ અને તીવ્ર વરસાદમાં વધારો કરે છે.
કુદરતી નિકાલનો નાશ: શહેરીકરણના લીધે કુદરતી તળાવો, કાંસ અને ભીની જમીન પર અતિક્રમણ થતાં પાણીના કુદરતી વહેણ રૂંધાયા છે.
2. પાણી નિકાલ વ્યવસ્થા અને ઉકેલો
શહેરોને એવા બનાવવાની વિભાવના કે જેથી તે વરસાદી પાણીને શોષી લે, સંગ્રહિત કરે અને બાદમાં પુનઃઉપયોગમાં લે.
આ માટે પરવિયસ/પોરસ કોંક્રિટના રસ્તાઓ અને ફૂટપાથ બનાવવામાં આવે છે. જે પાણીને જમીનમાં ઊતરવા દે છે.
3. નેચર-બેઝ્ડ સોલ્યુશન્સ
બાયો-સ્વેલ્સ: રસ્તાઓની બાજુમાં વનસ્પતિ ધરાવતી ખાસ ગટર લાઈનો, જે પાણીને ફિલ્ટર કરીને જમીનમાં ઉતારે છે.
અર્બન ફોરેસ્ટ્રી અને ગ્રીન રૂફ્સ: ઇમારતોની છત પર ગ્રીન કવર અને શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ વધારી સરફેસ રન-ઓફ ઘટાડવું.
4. આઇઓટી અને સ્માર્ટ સેન્સર આધારિત ડ્રેનેજ સિસ્ટમ:
ભૂગર્ભ ગટરોમાં સ્માર્ટ સેન્સર્સ મૂકીને પાણીના સ્તર અને ભરાવાની ત્વરિત માહિતી મેળવવી.
જીઆઈએસ મેપિંગ દ્વારા પૂરના જોખમવાળા વિસ્તારો પૂર્વ-ચિહ્નિત કરવા.
2. જળ સંચય અને 'કેચ ધ રેઈન'

1. વરસાદી પાણીના સંગ્રહ માટે બોરચાર્જિંગ
રીચાર્જ શાફ્ટ અને ફિલ્ટરેશન કેવિટી:
છત કે ખુલ્લા પરિસરનું પાણી સીધું જમીનમાં ઊંડું ઉતારવા માટે પથ્થર, કાંકરી અને રેતી આધારિત 3-સ્તરીય ફિલ્ટર બનાવવામાં આવે છે.
ડિફંક્ટ (બંધ) બોરવેલનો ઉપયોગ:
સુકાઈ ગયેલા કે બંધ પડેલા બોરવેલને ખાસ ફિલ્ટર ચેમ્બર સાથે જોડીને વરસાદી પાણીથી રિચાર્જ કરવા, જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે.
ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો:
વરસાદી પાણી શુદ્ધ હોવાથી તે ભૂગર્ભ જળના ક્ષારનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
3. જળ સંચયમાં લોકભાગીદારીનું મહત્વ

હાઉસિંગ સોસાયટીઓ અને સંસ્થાઓની ભૂમિકા:
એપાર્ટમેન્ટ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં સિસ્ટમ ફરજિયાત બનાવવી અને તેનું નિયમિત મેન્ટેનન્સ કરવું.
જનજાગૃતિ અને સ્થાનિક સમિતિઓ:
'વોટર વોરિયર્સ' અથવા સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ઝુંબેશ ચલાવીને પાણીના બગાડ અટકાવવા અને જળ સંચયના ફાયદાઓ સમજાવવા.
સરકારી પ્રોત્સાહન અને નીતિઓ:
જે સોસાયટીઓ કે મકાનો સક્રિય રીતે રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવે તેમને ટેક્સમાં રાહત કે પ્રોત્સાહક યોજનાઓ આપવી.
નિષ્કર્ષ
સ્પોન્જ સિટી કન્સેપ્ટ, આઈઓટી ટેકનોલોજી અને બોરચાર્જિંગ જેવા વૈજ્ઞાનિક અભિગમોને જો યોગ્ય સરકારી નીતિઓ અને જનભાગીદારી સાથે જોડવામાં આવે, તો જ શહેરોને સુરક્ષિત અને 'વોટર સેક્યોર' બનાવી શકાશે.
આ પણ વાંચોઃ ભયાનક પૂર અને જળબંબાકાર સ્થિતિથી એશિયાના દેશો જળમગ્ન, જાણો ક્યાં કેવી છે સ્થિતિ?
