ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી પુરી, ઓરિસ્સામાં શરૂ થઈ રહી છે. આ રથયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢ માસમાં શુક્લ પક્ષની બીજે એટલે કે અષાઢી બીજે કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દ્વિતિયાથી દશમી તિથિ સુધી સામાન્ય લોકો સાથે રહે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર બેસીને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે. જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. કહેવાય છે કે માત્ર રથયાત્રાના દર્શન કરવાથી 1000 યજ્ઞોનું પુણ્ય ફળ મળે છે.
[[$ad]]
[[$googlead]]






