યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક ટ્રેન અકસ્માત થયો હતો. ચંદીગઢથી ગોરખપુર થઈને આસામના ડિબ્રુગઢ જઈ રહેલી ચંદીગઢ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ રૂટ પર આવતી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. આ ઘટના ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પર બની હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. ઘટના અંગે સીએમ યોગીએ પણ સંજ્ઞાન લીધુ છે. રેલવેના અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.
[[$ad]]
[[$googlead]]




