
વર્ષ 2025 અને 2026માં બોલીવુડ જગતે ધર્મેન્દ્ર અને મનોજ કુમાર જેવા દિગ્ગજ સિતારાઓ તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રા જેવા સ્વજનોને ગુમાવ્યા છે. આ કલાકારો અને તેમના પરિવારજનોના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક યુગનો અંત આવ્યો છે અને ફેન્સમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર ઈન્ડસ્ટ્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી.

સુનીલ મલ્હોત્રા (સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા)- અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું ફેબ્રુઆરી 2026માં લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેઓ મર્ચન્ટ નેવીના નિવૃત્ત કેપ્ટન હતા અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ધર્મેન્દ્ર (પીઢ અભિનેતા અને બોબી-સન્ની દેઓલના પિતા)- બોલીવુડના 'હી-મેન' ગણાતા ધર્મેન્દ્રનું નવેમ્બર 2025 માં 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનથી દેઓલ પરિવાર અને સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી,. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા.

મુકુલ દેવ (અભિનેતા રાહુલ દેવના ભાઈ)- અભિનેતા રાહુલ દેવના ભાઈ અને જાણીતા એક્ટર મુકુલ દેવનું મે 2025 માં માંદગીના કારણે અવસાન થયું હતું. મુકુલ દેવે ઘણી હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓ ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય હતા.

પંકજ ધીર (અભિનેતા નિકિતિન ધીરના પિતા)- મહાભારતમાં કર્ણની ભૂમિકા માટે જાણીતા પંકજ ધીરનું ઓક્ટોબર 2025 માં કેન્સર સામેની લાંબી લડત બાદ નિધન થયું. તેઓ ટીવી અને ફિલ્મોના જાણીતા કલાકાર હતા અને તેમના પુત્ર નિકિતિન ધીર પણ બોલીવુડના જાણીતા અભિનેતા છે.

મનોજ કુમાર (પીઢ અભિનેતા)- ભારત કુમાર તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું એપ્રિલ 2025 માં 87 વર્ષની વયે નિધન થયું. તેમણે દેશભક્તિ આધારિત અનેક ક્લાસિક ફિલ્મો આપી હતી અને લાંબા સમયથી હૃદય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.

અસરાની (જાણીતા કોમેડિયન)- બોલીવુડના દિગ્ગજ કોમેડિયન અને પાત્ર અભિનેતા અસરાનીનું ઓક્ટોબર 2025 માં 84 વર્ષની વયે અવસાન થયું. પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે 'શોલે'ના જેલર જેવી અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને લોકોને હસાવ્યા હતા.