Ganesh Chaturthi 2025: મુંબઈના લાલ બાગ ચા રાજા સહિત આ ગણેશ પંડાલ છે લોકપ્રિય, જાણો ભારતના પ્રખ્યાત ગણપતિ પંડાલ

ગણેશ ચતુર્થી તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 6 સપ્ટેમ્બરના રોજ સમાપન થશે. 10 દિવસ ચાલતા આ ઉત્સવમાં લોકો ઘરમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરશે. જ્યારે સામૂહિક રીતે ગણેશ ઉત્સવની ઉજવણી માટે પંડાલ બનાવવામાં આવે છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ગણપતિ પંડાલો બનાવવામાં આવ્યા છે. આ લોકપ્રિય પંડાલની મુલાકાત લેવા દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશજીના દર્શન કરવા જાય છે. આ પંડાલને સુંદર રીતે સુશોભિત કરાય છે. તેના આર્કષક દેખાવ અને ગણપતિની સુંદર મૂર્તિ માટે દેશભરમાં પ્રખ્યાત થયા છે. ફક્ત લાલ બાગ કા રાજા જ નહીં આ પંડાલો પણ લોકપ્રિય છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ગણેશ ઉત્સવની દેશભરમાં ધૂમ

1/6ગણેશ પંડાલ

ગણેશ ચતુર્થી તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 6 સપ્ટેમ્બરના રોજ સમાપન થશે. 10 દિવસ ચાલતા આ ઉત્સવમાં લોકો ઘરમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરશે. જ્યારે સામૂહિક રીતે ગણેશ ઉત્સવની ઉજવણી માટે પંડાલ બનાવવામાં આવે છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ગણપતિ પંડાલો બનાવવામાં આવ્યા છે. આ લોકપ્રિય પંડાલની મુલાકાત લેવા દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશજીના દર્શન કરવા જાય છે. આ પંડાલને સુંદર રીતે સુશોભિત કરાય છે. તેના આર્કષક દેખાવ અને ગણપતિની સુંદર મૂર્તિ માટે દેશભરમાં પ્રખ્યાત થયા છે. ફક્ત લાલ બાગ કા રાજા જ નહીં આ પંડાલો પણ લોકપ્રિય છે.

2/6ગણેશ પંડાલ

ગણેશ ઉત્સવ તહેવાર અને મુંબઈ એકબીજાના પર્યાય બની ગયા છે. માયાનગરી મુંબઈમાં ગણેશઉત્વસ તહેવારને લઈને લોકો લાંબા સમયથી તૈયારીઓ કરતા હોય છે. ઘરો અને પંડાલોમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન થાય છે. લાલ બાગ ચા રાજા પંડાલ એક પ્રખ્યાત ગણપતિ પંડાલ છે જેની સેલિબ્રિટી અને રાજનેતાઓ પણ મુલાકાત લે છે. એટલે આ પંડાલની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક રાખવામાં આવે છે.

3/6ગણેશ પંડાલ

કોલકાતાનું સંતોષ મિત્ર સ્ક્વેર પંડાલમાં ગણેશોત્વસની ધામધૂમથી ઉજવણી થાય છે. સંતોષ મિત્ર સ્ક્વેર પંડાલમાં પરંપરાગત અને આધુનિક કલાનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે. દરવર્ષે પંડાલમાં ત્યાંની સંચાલન સમિતિ દ્વારા એક નવી અને અનોખી થીમ પસંદ કરવામાં આવે છે. કહી શકાય કે આ પંડાલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગણેશોત્સવની કરાતી ઉજવણી એ બંગાળમાં દુર્ગાપૂજા બાદ થતા સૌથી મોટો ઉત્સવ છે.

4/6ગણેશ પંડાલ

મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં સ્થિત GSB (ગૌડ સારસ્વત બ્રાહ્મણ) સેવા મંડળનો પંડાલ તેની શાહી ભવ્યતા અને ડિઝાઇન માટે પ્રખ્યાત છે. સોના અને ચાંદીના આભૂષણોથી શણગારેલી ભગવાન ગણેશની મૂર્તિની સુંદરતા શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેની સજાવટ એટલી આકર્ષક છે. GSB સેવા મંડળ દ્વારા પંડાલનો વીમો પણ ઉતરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે લાલ બાગ ચા રાજા પછી મુંબઈના આ સૌથી ધનિક ગણેશ પંડાલ છે.

5/6ગણેશ પંડાલ

પુણેમાં આવેલું દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર દેશના પ્રસિદ્ધ મંદિરોમાં સમાવેશ થાય છે. આજે આ મંદિરની ગણના વિશ્વના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. દરવર્ષે આ મંદિરમાં એક ખાસ થીમ સાથે પંડાલ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે પંડાલમાં તત્કાલ ચાલતા સામાજિક મુદ્દાઓ સંરક્ષણ, ઐતિહાસિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સજાવટ કરવામાં આવે છે. જે સર્જનાત્મકતાનું એક ઉત્તમ ઉદાહણ સ્થાપિત કરે છે.

6/6ગણેશ પંડાલ

હૈદરાબાદમાં આવેલું ખૈરતાબાદ ગણેશ પંડાલ દક્ષિણ ભારતમાં વધુ લોકપ્રિય થયું છે. દર વર્ષે આ પંડાલમાં વિશાળ ગણપતિ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. એક અંદાજ મુજબ મૂર્તિની ઉંચાઈ 60 થી 70 ફૂટ હોવાના કારણે આ ગણેશ પંડાલ 'મોટા ગણપતિ' તરીકે પણ પ્રચલિત થયું છે. વિસર્જન દરમિયાન આ પંડાલમાં અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

Gallery Ads