હિંદુ ધર્મના લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ તહેવારોમાં એક છે ગણેશ ચતુર્થી તહેવાર. ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. દેશભરમાં આ તહેવાર ખૂજ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એટલે કે 10 દિવસ સુધી આ તહેવાર ચાલે છે. આ દિવસોમાં જીવનના કષ્ટ દૂર કરવા ભગવાન ગણેશનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ચાલો જાણીએ ભારતના એ પ્રસિદ્ધ ગણેશ મંદિર. જેનું ફક્ત ધાર્મિક મહત્વ નથી પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના શ્રેષ્ઠ પ્રતિક પણ છે. ભારતના દરેક ખૂણેથી લાખો લોકોની સંખ્યા માં ભક્તો આ ગણેશ મંદિરમાં દર્શન કરવા જાય છે.








