
અમદાવાદ શહેરમાં હાલ ઘણા સ્થળો પર મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ઈસનપુર તળાવની આસપાસના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. આ ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કરવા માટે અમદાવાદ શહેર કમિશનર જી. એસ. મલિક પહોંચ્યા હતા.

અમદાવાદ શહેરમાં એપ્રિલ માસમાં કરવામાં આવેલા ચંડોળા તળાવ મેગા ડિમોલિશન ડ્રાઇવ બાદ, ઈસનપુર તળાવ આસપાસનાં બિન અધિક્રુત દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે આજરોજ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ડિમોલિશન દરમિયાન થયેલી કામગીરી અંગે નિરિક્ષણ કરવામાં આવ્યુ હતું.

કાયદો અને વ્યવસ્થા અંગેના કોઈ મોટા બનાવ વગર, ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવના કુદરતી ફેલાવાને તથા પુનઃસ્થાપન યોજનાને અવરોધતા, અંદાજે 30 ટકા અતિક્રમણ હેઠળના વિસ્તારની ડિમોલિશન કાર્યવાહી સફળતાપૂર્વક પુર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવમાં હાલ પાણી ભરાઇ ગયું છે.