
શક્તિપીઠ મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને હજારો માઇભક્તો અંબાજી તરફ પદયાત્રા કરી રહ્યા છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર પદયાત્રીઓ માટે વિવિધ સેવા સંગઠનો દ્વારા સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયાના અંબિકા યુવક મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી માઇ ભક્તોની સેવા કરવામાં આવી રહી છે.

અમદાવાદના ઘાટલોડિયાના અંબિકા યુવક મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી માઇ ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. શક્તિપીઠ મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને હજારો માઇભક્તો અંબાજી તરફ પદયાત્રા કરી રહ્યા છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર પદયાત્રીઓ માટે વિવિધ સેવા સંગઠનો દ્વારા સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યા છે.

મા અંબાના દર્શન કરવા માઇ ભક્તો તલપાપડ બનીને મા અંબાના ધામ તરફ પદયાત્રા કરીને જઇ રહ્યા છે. માઇ ભક્તોના અનેક સંઘ પદયાત્રા કરી રહ્યા છે. સહેજ પણ થાક્યા વગર માઇભક્તોને બસ મા ના દર્શન કરવાની ઇચ્છા હોય છે

અંબિકા યુવક મંડળ ઘાટલોડિયા દ્વારા ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રી માટે છેલ્લા 17 વર્ષથી સેવા કેમ્પ યોજાય છે અને આ વખતે સતત 17માં વર્ષે પણ માઇભક્તો માટે સેવા કેમ્પ યોજાયો છે જ્યાં માઇ ભક્તોને ઇડલી સાંભારનું ભોજન અપાય છે

આ વર્ષે 17 માં વર્ષે અંબિકા યુવક મંડળ ઘાટલોડિયા દ્વારા ખેરાળુ થી આગળ શાહપૂરા કંપા પાસે ઈડલી સાંભાર સેવા કેમ્પ શરુ કરાયો છે જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઇ માઇ ભક્તો માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે છે

માઇ ભક્તો પણ ઇડલી સાંભારનો પ્રસાદ ગ્રહણ કરીને બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે ફરી પાછા અંબાજી તરફ જવા પ્રયાણ કરે છે. અંબિકા યુવક મંડળ ઘાટલોડિયા દર વર્ષે આ સેવા પ્રવૃત્તિ કરે છે