
દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવાઇ છે. રાજ્યના મહત્વના તમામ મંદિરોની સુરક્ષા વધારી દેવાઇ છે તો તમામ શહેરોમાં પોલીસ રસ્તા પર ઉતરી ગઇ છે અને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહી છે. ગુજરાત બોર્ડર પર પણ ચેકીંગ શરુ કરાયું છે.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અરવલ્લી પોલીસ એલર્ટ છે અને આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો હતો. શામળાજી-રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેલાયો છે અને રાજસ્થાનથી આવતા વાહનોમાં ચેકિંગ ચાલી રહ્યું છે.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત તમામ શહેરોમાં પણ શહેર પોલીસ એલર્ટ કરી દેવાઇ છે અને પોલીસ ભીડવાળા સ્થળો પર ચેકિંગ કરી રહી છે. બસ સ્ટેશનો અને રલવે સ્ટેશનો પર ચેકિંગ કરાઇ રહ્યું છે અને મુસાફરોને સામાન ચેક કર્યા બાદ પ્રવેશ અપાયો હતો.

દ્વારકા જગતમંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે તો દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષામાં વધારો કરાયો છે અને દર્શને આવતા ભક્તોનું પણ ચેકિંગ કરાઇ રહ્યું છે મંદિરના પ્રવેશ દ્વાર પર તમામ લોકોનું ચેકિંગ કરવાની સાથે મંદિરમાં કોઇ પણ વસ્તુ લઇ જવા પ્રતિબંધ જાહેર કરાયો છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારાઈ છે અને BDDS, પોલીસ, CISF દ્વારા રેલવે સ્ટેશન પર તપાસ કરાઇ રહી હતી. BDDSની ટીમ અમદાવાદ રેલવે સ્ટેશન પર તૈનાત કરાઇ છે. સ્નિફર ડોગ અને મેટલ ડિટેક્ટરથી તપાસ કરાઇ રહી છે. મુસાફરોના લગેજને ખોલીને ઝીણવટ ભરી તપાસ કરી ટ્રેનની અંદર જઈને પણ કરવામાં ચેકિંગ કરાયું

દિલ્હી બ્લાસ્ટના પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયા બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા પર વધારો કરાયો છે અને સર્કિટ હાઉસથી મંત્રી નિવાસસ્થાન તરફ બેરિકેટિંગ કરી દેવાયું છે

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ મામલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. પ્રખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે. શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે અને અંબાજી મંદિરમાં 24 કલાક LMG ગાર્ડ તૈનાત કરાયા છે. ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે

શામળાજી મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રખાઇ રહી છે