સ્વાભિમાન પર્વની દિવ્ય રોનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાદેવના દર્શન કરી ભવ્ય ડ્રોન શો નિહાળ્યો

સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા છે.

સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી

1/6Somnath Temple

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું.

2/6SomnathTemple

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ્યા ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. મંદિરના મુખ્ય દિગ્વિજય દ્વાર પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોએ મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાનનું ભાવભીનું અભિવાદન કર્યું હતું. આ પવિત્ર અવસરે વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

3/6SomnathTemple

વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓએ હર્ષનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આખું મંદિર પરિસર "મોદી મોદી" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને પણ શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

4/6SomnathTemple

દર્શન પૂજનની સાથે વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં ચાલી રહેલા વિશેષ ૐ કાર (ઓમકાર) અનુષ્ઠાનમાં સહભાગી બન્યા હતા. તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી ઓમકાર મંત્રના જાપ કર્યા હતા. આ આધ્યાત્મિક વિધિ દ્વારા તેમણે દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

5/6SomnathTemple

કાર્યક્રમના અંતે વડાપ્રધાને સોમનાથ મંદિરના ઇતિહાસ અને ભવ્યતાને આલેખતો અત્યાધુનિક ડ્રોન શો નિહાળ્યો હતો. આકાશમાં સેંકડો ડ્રોન દ્વારા કંડારાયેલી આકૃતિઓએ સોમનાથના સુવર્ણ ઇતિહાસને જીવંત કર્યો હતો, જે જોઈ વડાપ્રધાન પણ અભિભૂત થયા હતા.

6/6 SomnathTemple

સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા.

Gallery Ads