
ભવનાથ પારસધામ ખાતે, રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજના જન્મોત્સવ, માનવતા મહોત્સવ 26થી 28 સપ્ટેમ્બર ત્રણ દિવસ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે આવીને નમ્રમુની મહારાજના આશીર્વાદ લીધા હતા.

ભવનાથ પારસધામ ખાતે, રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજના જન્મોત્સવ, માનવતા મહોત્સવ 26થી 28 સપ્ટેમ્બર ત્રણ દિવસ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે આવીને નમ્રમુની મહારાજના આશીર્વાદ લીધા હતા.

આ તકે અક્ષય કુમારે જણાવ્યું કે, હું આભારી છુ, કે મને અહીં આવવાનો મોકો મળ્યો, અહીં આવીને આ બધું સાંભળીને સમજીને આજે એક નવો શબ્દ શિખવા મળ્યો છે. ‘સ્વજન’ જો તમારે સારા સ્વજન બનવું છે તો જિંદગીમાં આપણી અંદર સમજવું પડશે અને જોવું પડશે.

મેં મારી જિંદગીમાં પાંચ S (એસ) હંમેશા મારી પાસે રાખ્યા છે, જેમાં સુખ, શાંતિ, સેવા, સ્વાસ્થ્ય અને આજે સ્વજન. ઘણી જગ્યાએ મેં જોયું છે. એક શબ્દ ‘દાન’ આવે છે. એ આપણું દાન નહી કર્મ અને ધર્મ છે.

કોઈને આપો તો તે તમારી સેવા કર્મમાં જાય છે. પૈસા મહત્વના નથી, તમારું સ્વાસ્થ્ય જરૂરી છે અને પૈસા એ લોકોની સેવા કરવા માટે હોય છે.

આ તકે અક્ષયકુમાર સવારે ભવનાથ મુકામે હેલીપેડ ખાતે ઉતરાણ કરીને સીધા પારસધામ પહોંચ્યા હતા અને તેઓએ નમ્રતાથી રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજના જન્મોત્સવ, માનવતા મહોત્સવમાં હાજરી આપીને પોતાની વાત રજુ કરીને રવાના થયા હતા.