શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ તહેવારોની શરૂઆત થઇ જાય છે અને આ મહિનામાં હિંડોળા દર્શનનું વિશેષ મહ્તવ હોય છે. 15 દિવસ સુધી ભગવાન શ્રીકુષ્ણને અલગ અલગ વસ્તુઓથી શણગારીને હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વાડીગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં પણ હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






