
દેશની રાજધાની દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી 'હોટેલ ફ્લોરિસ સ્ટે' (Hotel Floris Stay) માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દિલ્હીમાં માલવિયના નગરમાં આગ લાગવાની ભીષણ દુર્ઘટના બનવા પામી. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

માલવિયા નગરમાં આવેલી હોટલના રેસ્ટોરન્ટમાં સવારે 8:50 વાગ્યે આગ લાગી હતી. આગ ઉપરના માળ અને ભોંયરામાંના રૂમમાં ફેલાઈ ગઈ હતી.

આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકને સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ આગની ઘટનાની જાણ થતાં, મૃતકોના સંબંધીઓ અને ઘાયલોમાં ગભરાટ ફેલાયો.

હોટલના રેસ્ટોરન્ટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાય છે. રસ્તા પર જતા લોકો આગ દુર્ઘટનામાં ફસાયેલા પીડિતોને બચાવવા પ્રયાસ કરે છે.

આગ લાગ્યા પછી, ઇમારતની છત પર એક માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો એક વ્યક્તિએ હોટલના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો અને સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો.

ઇમારતમાં આગ લાગ્યા બાદ, ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા અને ચોથા માળેથી કૂદી પડ્યા. આ ઘટનામાં અંદર ફસાયેલા મોટાભાગના પીડિતો વિદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું છે.

આગ ઇમારતની નજીક શેરીના ભાગમાં શરૂ થઈ અને પછી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગની જવાળાઓ ચારેબાજુ ફેલાતા અન્ય વિસ્તારો પણ આગની લપેટમાં આવ્યા. આગ દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.

ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી અને પછી હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. તો સ્થાનિક લોકોએ હોટલમાંથી ઘણા લોકોને બચાવ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ ગયા.

આ ઘટનામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ફ્લેરિસ સ્ટે ગેસ્ટહાઉસને બેડ એન્ડ બ્રેકફાસ્ટ કોન્સેપ્ટ હેઠળ છ રૂમની પરમિટ સાથે લાઇસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ 25 રૂમ બનાવવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.