મધ્ય પૂર્વમાં યુદ્ધનું સંકટ, ભારત સરકારે તેલ કંપનીઓને LPG ઉત્પાદન વધારવા આપ્યા આદેશ

મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધ અને ઉર્જા પુરવઠા સંકટ વચ્ચે ભારત સરકાર વધુ સતર્ક બનતા મોટો નિર્ણય લીધો. દેશની તેલ કંપનીઓને આપ્યા મહત્વના આદેશ.

યુદ્ધ સામે ભારતનો માસ્ટર પ્લાન

1/7મધ્યપૂર્વની અસર ભારત વધારશે એલપીજી ઉત્પાદન

ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા પણ સામેલ થયું. જેના કારણે આ યુદ્ધ લાંબો સમય ચાલે તેવા એંધાણ છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ સંકટની ભારત પર પણ અસર દેખાઈ શકે છે. આ યુદ્ધ વધુ સમય ચાલશે તો ભારતમાં ઉર્જા પુરવઠાને અસર થશે. મધ્ય પૂર્વ યુદ્ધના તણાવ અને ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. સરકારે દેશની તેલ કંપનીઓને મહત્વના આદેશ આપ્યા.

2/7ઇરાન ઇઝરાય યુદ્ધ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દુનિયાભરના ઊર્જા બજારોમાં અનિશ્ચિતતા વધી રહી છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષના કારણે તેલ પુરવઠા અંગે અનેક દેશોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. પરંતુ ભારત માટે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

3/7ભારતનો નિર્ણય

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની અવરજવર અંગે ચિંતા ઉભી થઈ છે. કોઈ અવરોધ ઉભો થાય તો ભારત સહિત અન્ય દેશો માટે ઊર્જા પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે LPG ઉત્પાદન વધારવાની તૈયારી કરી. સરકારે દેશની રિફાઈનરી કંપનીઓને મહત્વના આદેશ આપ્યા.

4/7રિફાઈનરી કંપની

સરકારે દેશની તેલ રિફાઇનરીઓ અને કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો છે. આદેશ અનુસાર, કંપનીઓએ દેશમાં ગેસની અછત ટાળવા માટે સ્થાનિક રસોઈ ગેસનું ઉત્પાદન વધારવા માટે ઉપલબ્ધ પ્રોપેન અને બ્યુટેન સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

5/7રિફાઈનરી કંપની એલપીજી ઉત્પાદન

સરકારે તેલ કંપનીઓને પેટ્રોકેમિકલ ઉત્પાદનો કરતાં LPG ઉત્પાદનને પ્રાથમિકતા આપવાનો અને સ્થાનિક જરૂરિયાતોને પ્રથમ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને કતારના પ્લાન્ટ બંધ થવાથી ઊર્જા પુરવઠામાં વિક્ષેપનું જોખમ વધ્યું છે.

6/7એલપીજી ગેસ

ભારતમાં આશરે 332 મિલિયન સક્રિય LPG ગ્રાહકો છે, તેથી પુરવઠો જાળવી રાખવો એ સરકાર માટે પ્રાથમિકતા છે. ભારતની કુલ LPG માંગના લગભગ બે તૃતીયાંશ ભાગ આયાત દ્વારા પૂર્ણ થાય છે, જેમાં 85-90% પુરવઠો પશ્ચિમ એશિયામાંથી આવે છે.

7/7રસોઈ ગેસ

આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે પણ દેશમાં ગેસ સિલિન્ડરની અછત ના સર્જાય તેને લઈને ભારત સરકાર દ્વારા LPG ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. સરકારે ઔદ્યોગિક જરૂરિયાતો કરતા સામાન્ય નાગરિકોની જરૂરિયાત એવા 'ઘરના રસોડા' ને પ્રાથમિકતા આપી છે.

Gallery Ads