
ચક્રવાત મોન્થાની અસર હવે વધી રહી છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ પછી, તેલંગાણામાં વાવાઝોડાને કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

વાવાઝોડા મોન્થાની અસરને કારણે વારંગલમાં ભારે વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણ વાળા રહેણાંક વિસ્તાર તો આખો પાણીમાં ગરકાવ થયો છે.

ઘૂંટણ સમા પાણી ભરાતા વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓને ઉચકીને લાવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા ભયંકર ચક્રવાત મોન્થાના કારણે તેલંગાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રહેવાસીઓને ભારે અસુવિધા થઈ રહી છે

વાવાઝોડા મોન્થાની અસરને કારણે તેલંગણાના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા. વળી મુન્નેરુ નદીમાં જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ડોરનાકલ રેલ્વે સ્ટેશન પર પૂરના પાણી પાટા પર ઘૂસી ગયા છે, જેના કારણે ઘણી ટ્રેનો રોકાઈ ગઈ હતી.