

PM નરેન્દ્ર મોદીએ દરિયાના મોજા વચ્ચે દેશના બહાદુર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે ગોવા અને કારવારના દરિયાકાંઠે સ્થિત ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે મીઠાઈઓ વહેંચીને દિવાળીની ઉજવણી કરી.

પીએમ મોદીએ કહ્યું કે આ દિવાળી તેમના માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેઓ દેશના રક્ષકો વચ્ચે તેની ઉજવણી કરી રહ્યા છે. તેમણે સૈનિકોની બહાદુરી, આત્મનિર્ભર ભારતના મિશન અને ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેવાઓની ભૂમિકાની પ્રશંસા કરી.

. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન INS વિક્રાંતના સ્ટ્રાઈક ગ્રુપે પાકિસ્તાનની રાતોની ઊંઘ કેવી રીતે હરામ કરી દીધી હતી તે યાદ કર્યું. એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પછી ભારતીય નૌકાદળે તેની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે આ ઓપરેશને ભારતીય સેનાની બહાદુરીનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું. પીએમએ કહ્યું કે ત્રણેય સશસ્ત્ર દળોએ રેકોર્ડ સમયમાં પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યું.

INS વિક્રાંતને ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું પ્રતીક ગણાવતા પીએમએ કહ્યું કે તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને દુશ્મનને જવાબ આપ્યો હતો.

પીએમ મોદીએ મિગ-29K ફાઇટર જેટ્સ દ્વારા ઉડાન પ્રદર્શન જોયું અને નૌકાદળના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો, જેમાં ઓપરેશન સિંદૂર પર દેશભક્તિના ગીતોનો સમાવેશ થતો હતો.